<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>gujarati-language &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://en.wordpress.com/tag/gujarati-language/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "gujarati-language"</description>
	<pubDate>Wed, 19 Jun 2013 13:08:02 +0000</pubDate>

	<generator>http://en.wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[&gt;How many languages can you speak?]]></title>
<link>http://romilonline.wordpress.com/2011/03/12/how-many-languages-can-you-speak/</link>
<pubDate>Sat, 12 Mar 2011 08:30:00 +0000</pubDate>
<dc:creator>Romil</dc:creator>
<guid>http://romilonline.wordpress.com/2011/03/12/how-many-languages-can-you-speak/</guid>
<description><![CDATA[&gt; Three&#8230; English, Hindi and Gujarati&#8230;Though i can read and understand Sanskrit somewh]]></description>
<content:encoded><![CDATA[<p>&#62;
<div dir="ltr" style="text-align:left;">
<div class="formspringmeAnswer">Three&#8230; English, Hindi and Gujarati&#8230;<br />Though i can read and understand Sanskrit somewhat&#8230; but cannot count it as language I can speak.<br />Also I want to learn more languages like Spanish &#38; French..</div>
<div class="formspringmeFooter"><a href="http://www.formspring.me/romil08?utm_medium=social&#38;utm_source=blogger&#38;utm_campaign=shareanswer">Ask me anything</a></div>
<div class="separator" style="clear:both;text-align:center;"><a href="http://romilonline.files.wordpress.com/2011/03/languagecollage1.jpg" style="clear:left;float:left;margin-bottom:1em;margin-right:1em;"><img border="0" height="287" src="http://romilonline.files.wordpress.com/2011/03/languagecollage1.jpg?w=400&#038;h=287" width="400" /></a></div>
<div class="zemanta-pixie" style="height:15px;margin-top:10px;"><img alt="" class="zemanta-pixie-img" src="http://img.zemanta.com/pixy.gif?x-id=480dc875-6dbe-4c40-ab53-2b8cdf714519" /></div>
</div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ખોખલી ઘર્મનિર૫ેક્ષતાએ જ આ દેશનો દાટ વાળ્યો છે.  સ્વાતિ જાની]]></title>
<link>http://santoshbhatt.wordpress.com/2010/11/11/%e0%aa%96%e0%ab%8b%e0%aa%96%e0%aa%b2%e0%ab%80-%e0%aa%98%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%ab%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a4%e0%aa%be%e0%aa%8f-%e0%aa%9c/</link>
<pubDate>Thu, 11 Nov 2010 22:36:53 +0000</pubDate>
<dc:creator>Sam Hindu's Blog.</dc:creator>
<guid>http://santoshbhatt.wordpress.com/2010/11/11/%e0%aa%96%e0%ab%8b%e0%aa%96%e0%aa%b2%e0%ab%80-%e0%aa%98%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%ab%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a4%e0%aa%be%e0%aa%8f-%e0%aa%9c/</guid>
<description><![CDATA[ખોખલી ઘર્મનિર૫ેક્ષતાએ જ આ દેશનો દાટ વાળ્યો છે ઘર્મ અને રાજકારણને ઘનિષ્ઠ સંબંઘ હતો, છે અને રહેશે - સ્]]></description>
<content:encoded><![CDATA[ખોખલી ઘર્મનિર૫ેક્ષતાએ જ આ દેશનો દાટ વાળ્યો છે ઘર્મ અને રાજકારણને ઘનિષ્ઠ સંબંઘ હતો, છે અને રહેશે - સ્]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ઓબામા ભારતના હોશિયાર વિદ્યાર્થીઓથી ભયભીત છે(ચીની કમ)]]></title>
<link>http://santoshbhatt.wordpress.com/2010/11/06/614/</link>
<pubDate>Sat, 06 Nov 2010 18:58:26 +0000</pubDate>
<dc:creator>Sam Hindu's Blog.</dc:creator>
<guid>http://santoshbhatt.wordpress.com/2010/11/06/614/</guid>
<description><![CDATA[Image via Wikipedia I have written Articles in english on subject and this column CHINI KAM wrote in]]></description>
<content:encoded><![CDATA[Image via Wikipedia I have written Articles in english on subject and this column CHINI KAM wrote in]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[આઝાદીનો યશ અને ગાંધીજી @ VICHARO.COM BY; Kalpesh Soni]]></title>
<link>http://samhindu.wordpress.com/2010/09/26/%e0%aa%86%e0%aa%9d%e0%aa%be%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%af%e0%aa%b6-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%9c%e0%ab%80-vicharo-com-by-kalpesh/</link>
<pubDate>Mon, 27 Sep 2010 03:39:28 +0000</pubDate>
<dc:creator>Sam Hindu's Blog.</dc:creator>
<guid>http://samhindu.wordpress.com/2010/09/26/%e0%aa%86%e0%aa%9d%e0%aa%be%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%af%e0%aa%b6-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%9c%e0%ab%80-vicharo-com-by-kalpesh/</guid>
<description><![CDATA[Image via Wikipedia http://santoshbhatt.wordpress.com/2010/07/12/muslim-appeasement-was-an-inseparab]]></description>
<content:encoded><![CDATA[<div class="zemanta-img">
<div class="wp-caption alignright" style="width: 310px"><a href="http://commons.wikipedia.org/wiki/File:Map_Gujarat_state_and_districts.png"><img title="The Gulf of Khambat is at the right-lower-cent..." src="http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/Map_Gujarat_state_and_districts.png/300px-Map_Gujarat_state_and_districts.png" alt="The Gulf of Khambat is at the right-lower-cent..." width="300" height="212" /></a><p class="wp-caption-text">Image via Wikipedia</p></div>
</div>
<p><a href="http://santoshbhatt.wordpress.com/2010/07/12/muslim-appeasement-was-an-inseparable-part-of-gandhi%e2%80%99s-quack-doctrine-of-non-violence/">http://santoshbhatt.wordpress.com/2010/07/12/muslim-appeasement-was-an-inseparable-part-of-gandhi%e2%80%99s-quack-doctrine-of-non-violence/</a></p>
<p><a title="Permanent Link to આઝાદીનો યશ અને ગાંધીજી" rel="bookmark" href="http://vicharo.com/2010/09/27/gandhi-ajhadi/">આઝાદીનો યશ અને ગાંધીજી</a></p>
<div><img src="http://vicharo.com/wp-content/themes/calligraphy_writing_ote021/images/PostDateIcon.png" alt="PostDateIcon" width="17" height="18" /> September 27th, 2010 &#124; Author: <a title="Author" href="#">admin</a>  By ; Kalpesh Soni @ VICHARO.COM</div>
<div><a href="http://vicharo.com/2010/09/27/gandhi-ajhadi/comment-page-1/#comment-431">http://vicharo.com/2010/09/27/gandhi-ajhadi/comment-page-1/#comment-431</a></div>
<div>
<p>વાચકમિત્રો,<br />
ગાંધીજયંતિ આવી રહી છે. આઝાદીનો યશ ન પચાવી શકનારા ગાંધીજીના વિચાર-વાણી-વર્તનમાં આઝાદી બાદ જે બદલાવ આવ્યો, તેઓની મન-બુદ્ધિમાં જે ગરબડ પેદા થઈ તેનાથી ગાંધીજીએ ભારતને આવનારા સો-બસો વર્ષ સુધી ભરપાઈ ન થઈ શકે એવું ભારે નુક્શાન કરી નાંખ્યું. એ અંગેની રજુઆત જરુરથી વાંચો:</p>
<p>‘કોઈ તમને એક ગાલે તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો.’ ‘કોઈ આપણને ગાળ દઈ જાય તો આપણે એ ગાળ લેવી નહિ, એટલે કોઈ પ્રશ્ન જ રહે નહિ.’ વાણિયાવૃત્તિનો માણસ તો એથી પણ આગળ વધીને એવું કહે, કે ‘એ આપણને કંઈક આપીને ગયો છે ને, આપણી પાસેથી કંઈ લઈ ગયો નથી ને !’ શું આ વાત બરાબર છે ? અરે, આ તો કાયરનું-નામર્દનું તત્વજ્ઞાન છે. કોઈ માણસ મારી સામે આંખ કાઢીને વાત કરે, ઉંચા અવાજે વાત કરે, ગાળ દઈને વાત કરે, કે પછી મને મારવા હાથ ઉગામે એ મારા અસ્તિત્વનું અપમાન છે. અને એવું કરતા પહેલા એના મનમાં મારા તરફથી મળનારા પ્રત્યાઘાતો અંગે ડર જાગે ત્યારે મારા સ્વમાનનું મેં સાચું રક્ષણ કર્યું કહેવાય. માણસની અસ્મિતા તેમજ ગૌરવની જાળવણી માટે આ વિચારધારા જ યોગ્ય છે.</p>
<p>કોઈ એક સંત કોઈ દુ:ષ્ટ પ્રકૃતિના માણસનું ગેરવર્તન સહન કરી રહ્યા હોય ત્યારે સંતના કરુણાથી ભરેલા હૃદયને જોઈને એ દુ:ષ્ટના મનમાં પોતાની દુ:ષ્ટતા બદલ પશ્ચાત્તાપની ભાવના જાગે છે અને પોતાની હીન વૃત્તિ બદલ શરમ અનુભવીને એ જાતે પોતાનામાં પરિવર્તન લાવવા તૈયાર થાય છે. આવા સંતની ભાવના ‘કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો’ એવી હોઈ શકે. આ વાતનું સામાન્યીકરણ ના થઈ શકે. દાદાનો ઝબ્બો પહેરીને પૌત્ર ચાલવા જાય તો એ પડી જાય અને એના દાંત તુટી જાય. આટલી સાદી વાત ન સમજી શકે એ માણસ નેતા થઈ જાય ત્યારે જનતાની અવદશા થાય છે. ગાંધીજીની માનસિક કક્ષા સંત સુધી પહોંચી ચુકી હોવાથી એ માર ખાઈને સ્વસ્થ રહી શકે. વળી તેઓનું એવું વર્તન એક દુ:ષ્ટ વ્યક્તિ પુરતુ અસરકારક બને. દુશ્મન સમુહ પર એની કોઈ અસર થઈ શકે નહિ. અંગ્રેજોએ પીછેહઠ કરી એ આપણા અહિંસક પ્રતિકારના કારણે નહિ, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા અંગ્રેજો માત્ર ભારતમાંથી જ નહિ પરંતુ વિશ્વભરમાંથી માનભેર પીછેહઠ કરીને પોતાના દેશમાં પરત ફરી રહ્યા હતા.</p>
<p>ગાંધીજીની અહિંસાને આઝાદીનો યશ આપવાથી સમાજ ગેરમાર્ગે દોરાશે અને એથી ભારે નુક્શાન વેઠવાનો વારો આવશે. અહિંસાનો અર્થ છે: પ્રેમ, જે વ્યક્તિની કૃતિથી નહિ પરંતુ એ કૃતિ પાછળના પ્રેરકબળથી નક્કી થાય છે. શિયાળાની વહેલી સવારે પોતાના બાળકને ઉઠાડનારી મા બાળકને ક્રુર લાગે છે. પરંતુ એ કૃતિ પાછળ માનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ જ રહેલો છે. શહેરના બાર લાખ નાગરિકોને દસ-બાર ગુંડાઓએ આતંકના ભરડામાં લીધા હોય ત્યારે કોઈ ક્રાંતિકારી યુવાન એ ગુંડાઓને મારી નાંખે તો એ કૃતિ પાછળનું પ્રેરક બળ એ યુવાનનો પોતાના શહેરના નાગરિકો પ્રત્યેનો પ્રેમ છે. અને એ ક્રાંતિકારીને સાચો અહિંસાનો પુજારી કહેવાય. બાર લાખ નાગરિકોની ગુંડાઓ દ્વારા થઈ રહેલી હિંસા જોયા કરનારો, શસ્ત્ર ઉપાડીને મારવાને બદલે ગુંડાઓને સમજાવવાનો પ્રયત્ન કરીને તેઓની દાદાગીરીને પોષનારો અને એ રીતે સમાજને દુ:ખી રાખનારો માણસ ખરેખર તો હિંસક કહેવાય.</p>
<p>અમેરિકન પંડિત ઈમર્સન, ઈંગલેન્ડ પંડિત થોમસ કાર્લાઈલને ઈંગલેન્ડમાં મળ્યા ત્યારે કાર્લાઈલે <strong>જીવનના સત્ય સિદ્ધાંતોથી ભરેલા ગ્રંથ તરીકે  ‘ગીતા’ પુસ્તક</strong> ઈમર્સનને ભેટમાં આપ્યું હતું. આ વાતની ઈતિહાસે નોંધ લીધી છે. ગીતાના વિચારોની અસર ઈમર્સન પર થઈ છે અને ઈમર્સને જીવનના અડતાલીસ વર્ષ અમેરિકાના કોન્કોર્ડ શહેરમાં ગાળ્યા હોવાથી ઈમર્સનના વિચારોની અસર અમેરિકા પર થયેલી જોવા મળે છે. આથી કહી શકાય કે અમેરિકાની War ministryછે, જે ગીતાના(કૃષ્ણના) વિચારો પર આધારિત છે. જ્યારે ભારતની Defense ministry છે, જે ઈસુખ્રિસ્તના(ગાંધીજીએ સ્વીકારેલા) વિચારો પર આધારિત છે.</p>
<p><strong>મહાન માણસોના બે પ્રકાર છે: (1)વ્યક્તિગત મહાન માણસો અને (2)સામાજિક રીતે મહાન માણસો. </strong></p>
<p>મુઠ્ઠીભર અંગ્રેજો આપણા દેશના કરોડો લોકો પર 250 વર્ષ સુધી રાજ્ય કરી શક્યા. શા માટે? કારણ કે તેઓ સામાજિક રીતે મહાન હતા. અને આપણે વ્યક્તિગત રીતે મહાન હતા અને એવા જ મહાન બનવાનો પ્રયત્ન આજે પણ કરીએ છીએ.<strong> ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ એટલે કે ‘જે ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે.’</strong> કીડીને પણ ન મારનારો, અહિંસા ધર્મ પાળનારો હિન્દુ છેલ્લા હજાર વર્ષથી હારતો ને માર ખાતો જ આવ્યો છે અને એક પણ પાપ કરવાનું જેણે બાકી નથી રાખ્યું એવા હિંસક અંગ્રેજો 250 વર્ષથી વિજેતા રહ્યા છે. શા માટે? કારણ છે: આપણે હિન્દુઓએ વ્યક્તિધર્મનું પાલન કર્યું અને અંગ્રેજોએ સામાજિક ધર્મનું પાલન બરાબર કર્યું છે. 250 વર્ષોમાં એક પણ અંગ્રેજ એવો નથી પાક્યો, જેણે ઇસ્ટ ઇંડિઆ કંપની સામે કે પોતાના દેશ ઇંગલેંડ સામે ગદ્દારી કરી હોય ! અંગત ધન-સંપત્તિ એકઠી કરવાની કે માનપાન મેળવવાની લાલચ ત્રણ સદી સુધી એક પણ અંગ્રેજને ભ્રષ્ટ કરી શકી નહિ.</p>
<p><strong>ગાંધીજી વ્યક્તિગત રીતે મહાન હતા કે સામાજિક રીતે મહાન હતા?</strong></p>
<p>ગાંધીજીએ મુસલમાનોનો પક્ષ લીધો. શા માટે? ગાંધીજીએ એક વાત હંમેશા પકડી રાખી હતી, કે ‘દેશનું જે થવું હોય એ થાય, હું જે સમુહમાંથી આવું છું એ સમુહનો પક્ષ ક્યારેય નહિ લઉં કારણ કે એથી મહાન હોવાની મારી છબી ખરડાય છે. હું પક્ષાપક્ષીમાં નથી માનતો એવું સ્પષ્ટ દેખાવું જોઈએ.’ આ વાતના સમર્થનમાં આપણે ત્રણ બાબતો જોઈએ :</p>
<p>(1)જ્યાં હિન્દુ-મુસ્લિમની વાત આવી ત્યાં પોતે હિન્દુ હતા તો એમણે મુસલમાનોનો પક્ષ લીધો.<br />
(2)જ્યાં દિલ્હીના નહેરુ અને ગુજરાતના સરદારની વાત આવી ત્યાં પોતે <a class="zem_slink" title="Gujarati language" rel="wikipedia" href="http://en.wikipedia.org/wiki/Gujarati_language">ગુજરાતી</a> હતા તેથી એમણે દિલ્હીના નહેરુનો પક્ષ લીધો. અને<br />
(3)જ્યારે શાકાહારીઓ-માંસાહારીઓની વાત આવી ત્યારે પોતે શાકાહારી હોવાથી એમણે માંસાહારીઓનો પક્ષ લીધો.</p>
<p>આઝાદ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધનો કાયદો કરવાની વાત ચાલી જેમાં ગાંધીજીએ સહકાર ન આપ્યો, એમ કહીને, કે “આપણે કેવી રીતે કહી શકીએ કે મુસલમાનોએ ગાયનું માંસ ન ખાવું?” સર્વધર્મસમભાવની વાત કરનારા ગાંધીજીને શું એ વાત યાદ ન હતી, કે ‘ગાય હિન્દુ ધર્મનું અતિશય પવિત્ર પ્રાણી છે ?’ ઇસ્લામ ધર્મનો જન્મ અરબસ્તાનમાં થયો, જ્યાં માત્ર રણપ્રદેશ હોવાથી, ખેતી શક્ય ન હોવાથી રખડતી ટોળીના માણસો માંસાહાર પર ગુજારો કરતા હતા. માંસાહારને ઇસ્લામ સાથે કોઈ સીધો સંબંધ નથી. ખેતી પર નભનારા અને તેથી ગૃહસ્થ જીવન જીવનારા સભ્ય સમાજમાં ઇસ્લામનો પ્રવેશ થયો ત્યાં સ્વાભાવિક રીતે માંસાહાર ત્યાજ્ય થઈ જવો જોઈએ. કોઈ પણ ધર્મ હિંસાને કેવી રીતે માન્યતા આપી શકે? જ્યારે અહિંસામાં માનનારા ગાંધીજીએ આઝાદ ભારતમાં મુસલમાનોને પશુહિંસા ઉપરાંત ગૌહિંસાની છુટ પણ આપી દીધી ! શું તેઓ અહિંસાધર્મનો ઢોંગ કરી રહ્યા હતા?</p>
<p>ઇસ્લામમાં શું લખ્યું છે કે કુરાનમાં શું લખ્યું છે એની વાત જવા દો. પરંતુ ઇસ્લામના નામે તેમજ કુરાનના નામે આઝાદ ભારતમાં મુસલમાનો હિંસા ફેલાવી રહ્યા હતા ત્યારે તેઓને વાળવાને બદલે તેઓનો પક્ષ લઈને ગાંધીજી એમ કહીને તેઓનો બચાવ કરી રહ્યા હતા, કે “બિચારા મુસલમાનો તો પ્રમાણિકપણે પોતાની સમજણ અનુસાર ઇસ્લામ ધર્મનું પાલન કરી રહ્યા છે.” તેઓની સમજણ ઠેકાણે લાવવાની કે તેઓની ગેરસમજને પોષવાની ? એટલી સાદી વાતની આ મહાન માણસને ખબર ન હતી?</p>
<p><strong>આપણને આઝાદી ગાંધીજીએ નહિ પણ ભગવાને અપાવી છે. </strong></p>
<p>ભારતની આઝાદીનો યશ ભલે ગાંધીજીની અહિંસાને મળ્યો, પરંતુ આઝાદીના રહસ્યો જાણી લેવા જરુરી છે. બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા ઈંગલેંડને ‘V’ for Victory અને ‘Victory through defeat’ એવા બે સુત્રો આપી પોતાના બાહુબળથી જીતાડનાર અને ભારતને કોઈ પણ સંજોગોમાં આઝાદી ન આપવાનું વ્રત લેનાર ચર્ચિલનો કોંઝર્વેટીવ પક્ષ, યુદ્ધ બાદ તરત ઈંગલેંડમાં આવેલી ચુંટણીમાં, અગાઉ એક પણ વાર ન હાર્યો હોવા છતાં પ્રથમ વાર હારી કેમ ગયો? અને ભારતને આઝાદી આપવાના મતનો લિબરલ પક્ષ કોઈ જ નોંધનીય કાર્ય ન કર્યું હોવા છતાં ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વાર ચુંટણી જીતી કેમ ગયો? ભારતને આઝાદ કરવાનું કાર્ય કર્યા બાદ તરત જ લિબરલ પક્ષ સત્તા ગુમાવી બેઠો અને ચર્ચિલનો હારી ચુકેલો કોંઝર્વેટીવ પક્ષ ફરીથી ચુંટણી જીતી ગયો. ત્યારબાદ પચાસ વર્ષ સુધી લિબરલ પક્ષ સત્તા પર આવ્યો નથી. ત્યારે કહેવાનું મન થાય કે ભારતને ભગવાને આઝાદી અપાવી છે, કોઈ વ્યક્તિએ નહિ.</p>
<p><strong>યશ-સફળતાને પચાવવી એ મહાપુરુષો માટે પણ મુશ્કેલ છે. </strong></p>
<p>ગાંધીજીને ભારતને આઝાદ કરાવ્યાનો યશ મળી ગયો. લોહીની નદીઓ વહાવ્યા વિના સત્તાપરિવર્તન થયું હોય એવી કોઈ ઘટના અગાઉ વિશ્વના ઈતિહાસમાં બની નથી. અહિંસા અને સત્ય જેવા મુલ્યો જે યુગમાં મશ્કરીને પાત્ર ગણાતા હોય એ મુલ્યોને ગાંધીજી દ્વારા સામાજિક સંદર્ભ મળ્યો. આ સફળતાને પચાવવા માટે જે માનસિક સજ્જતા હોવી જોઈએ એનો ગાંધીજીમાં અભાવ હતો. ભારતને આઝાદી મળ્યા બાદના ગાંધીજીના નિવેદનોનો અભ્યાસ કરશું તો સ્પષ્ટ જણાય છે, કે તેઓએ 100% મુર્ખતાપુર્ણ વાતો કરી છે. વધુ મહાન બનવાની ઘેલછામાં મૃત્યુપર્યંત તેઓએ અમર્યાદ બફાટ કર્યો છે. એક તરફ ગાંધીજીએ કહ્યું, કે “મુસલમાન ભાઈઓ, આવો અને આઝાદ ભારત પર અનંતકાળ સુધી રાજ્ય કરો. હિન્દુઓ તમારી આજ્ઞામાં રહેશે પણ ભાગલાની વાત ના કરો.” તો બીજી તરફ એમણે કહ્યું, કે ‘નહેરુ મારો રાજકીય વારસદાર છે.’ શું ગાંધીજીને એટલી ખબર ન હતી, કે ભારત દેશ તેઓના પુજ્ય પિતાશ્રીની માલિકીનો નથી.</p>
<p><strong>મહાનતાની લાલચ </strong></p>
<p>દેશ માટે અપાયેલા સેંકડો ક્રાંતિકારીઓના બલિદાનોની અવગણના કરીને આઝાદીનો સંપુર્ણ યશ પોતાના ખિસ્સામાં સેરવી લીધા બાદ ગાંધીજીને શ્રેષ્ઠ વિશ્વમાનવ બનવાની ઘેલછા જાગી હતી. તેઓ એવા મધમીઠા દિવાસ્વપ્નોમાં રાચવા લાગ્યા હતા, કે “મારા જેવા મહાન માણસનું મૃત્યુ સામાન્ય માણસની જેમ બિમાર પડીને પથારીવશ અવસ્થામાં થાય તો તો મારો જન્મારો એળે જાય. આપણે એવું કંઈક કરવું કે જેથી આપણી હત્યા થઈ જાય તો તો રંગ રહી જાય. પરંતુ એ માટે શું કરી શકાય? હા, ઉપાય હાથવગો જ છે ! આઝાદ ભારતમાં બહુમતિ હિન્દુઓ ઉશ્કેરાય એવા ઉપરાછાપરી નિવેદનો કરું, કે જેથી કોઈ સાચો દેશભક્ત હિન્દુ મને હણી નાંખે અને હું અનંત કાળ સુધી અમર થઈ જાઉં. તો તો સોનામાં સુગંધ ભળી જાય.</p>
<p>ગાંધીજી વિચારે છે: ‘ઇતિહાસ મને કેવી રીતે યાદ રાખશે? એક તો મારા થકી દેશને આઝાદી મળી, બીજુ, મેં મારા પ્રાણોનું બલિદાન આપ્યું અને ત્રીજુ, હું ‘હિન્દુ-મસલમાન’ એવી પક્ષાપક્ષીથી ઘણો ઉપર ઉઠી ચુકેલો મહાત્મા છું એ વાત વધુ પુષ્ટ થશે. અને એમ થાય તો રત્નજડીત સોનાની વીંટી સુગંધીત થયા જેવું થાય.<strong> રત્નમ કાંચનેન સમાગચ્છતુ. </strong>હા, આ જ શ્રેષ્ઠ રસ્તો છે.” અને ગાંધીજીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે આવતીકાલે મારી હત્યા થઈ જાય તો પણ હું મારા નિર્ણયને વળગી રહેવાનો છું.” આમ કહીને તેઓએ એક તરફ હિન્દુ દેશભક્તોને ખુલ્લું ઇજન આપ્યું, કે “આવો, મારી હત્યા કરો અને મને જલ્દી અમર કરો.” અને બીજી તરફ પોતાના અંત સમયની આગાહી કરવા સમર્થ તેમજ પોતાનો અંત કેવી રીતે આવશે એ ભાવિનું દર્શન પોતાને થયાના એંધાણ પ્રગટ કરીને ગાંધીજીએ વધુ યશ કમાઈ લીધો.</p>
<p>દેશને આઝાદી મળ્યા બાદ જવાબદારી પુરી થાય છે, કે વધી જાય છે? હોદ્દો કોને સોંપી શકાય? આવનારા 1000 વર્ષને જે જોઈ શકે, અને દેશને જે આગળ લઈ જઈ શકે એવા વિઝનરીના હાથમાં દેશનું સુકાન સોંપાય કે પછી, જેમ લાગણીવશ થઈને કોઈ વ્યવહારુ બાપ પોતાના મુર્ખ, લાડકા એવા નાના દીકરાને પોતાનો વારસો સોંપી દે એમ લઘુમતિ મુસ્લિમોને કે પછી નાદાન નહેરુને દેશનું સુકાન સોંપાય ? ગાંધીજીએ શું જોઈને નહેરુને વડાપ્રધાનપદ સોંપવાનું નક્કી કર્યું હતું? મેડમ એડવિના આગળ લટુડા-પટુડા કરતા નહેરુમાં દેશને ચલાવવાની ગાંધીજીએ કોઈ લાયકાત જોઈ હતી શું?</p>
<p>જો ગાંધીજી 500થી વધુ રાજ્યોનું વિલિનીકરણ કરીને અખંડ ભારતના નિર્માતા એવા મહાન સરદાર પટેલને દેશનું સુકાન સોંપે તો આ દેશને તો કુદકે ને ભુસકે આગળ લઈ જનારો મહાન નેતા મળી જાય. પરંતુ દુનિયાભરના મોટા લોકો ગાંધીજી વિશે શું કહેશે? ‘એક ગુજરાતીએ બીજા ગુજરાતીને આગળ કર્યો.’ એના બદલે ગાંધીજી પોતે ગુજરાતી હોવા છતાં એક લાયક અને સમર્થ ગુજરાતીની અવગણના કરીને અન્ય પ્રદેશના માણસને ગાદી સોંપે તો પોતે પોતાના પ્રદેશભાઈ એવા એક ગુજરાતીથી કેવા નિર્લેપ રહ્યા ગણાય ! (નાયબ વડા પ્રધાન તેમજ ગૃહપ્રધાન બન્યા બાદ ગાંધીજીની આજ્ઞાથી સરદાર પટેલે પોતાના પરિવારજનોને દિલ્હીની હદની આજુ-બાજુ દસ કિલોમીટર સુધી ફરકવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી.) આને કહેવાય વ્યક્તિગત મહાનતા. પોતાને કલંક ન લાગે એ માટે ગાંધીજીએ સમર્થ પુરુષ એવા સરદાર પટેલને હાંસિયામાં ધકેલી દીધા અને અણઘડ નહેરુને દેશનું સુકાન સોંપીને આ દેશને ખાડામાં નાંખ્યો.</p>
<p>એની સામે યાદ કરો, કૃષ્ણને અને છત્રપતિ શિવાજીને. મથુરાના રાજા કંસને મારીને જરાસંધની બે દીકરીને યુવા વયે વિધવા બનાવી તેથી કૃષ્ણ પ્રત્યે વેર લેવા જરાસંધ સત્તર વખત મથુરા પર હુમલા કરે છે. જરાસંધ સાથેની કૃષ્ણની અંગત દુ:શ્મનાવટના કારણે સમગ્ર મથુરાની જનતાને હેરાન થવું પડે છે. તેથી કૃષ્ણ મથુરામાંથી છાના-માના પલાયન થઈ જાય છે. એક ક્ષત્રિય માટે રણ છોડીને ભાગી જવું એ મૃત્યુથી પણ બદતર ગણાય. છતાં કૃષ્ણે એમ કર્યું. કોના માટે? મથુરાની પ્રિય જનતા માટે પોતે કલંક વહોરી લીધું. આને કહેવાય સામાજિક મહાનતા. બીજો પણ એક પ્રસંગ છે: ભીષ્મને મારવાનું નક્કી થયા બાદ પણ અર્જુન બરાબર લડતો ન હોવાથી કૃષ્ણ યુદ્ધમાં નિ:શસ્ત્ર રહેવાની પોતાની અંગત પ્રતિજ્ઞા તોડીને ભીષ્મને મારવા દોડે છે. તેઓ વ્યક્તિગત મહાનતાનું સુત્ર<strong> ‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાઈ’ </strong>ને વળગી રહેવાને બદલે સમષ્ટિના હિતને માટે પોતાની અંગત પ્રતિષ્ઠા દાવ પર લગાડી દે છે.</p>
<p>એ જ રીતે મહાન શિવાજીએ સામસામે સ્થિર યુદ્ધ ન કરતા છાપામાર પદ્ધતિ અપનાવી. પરિણામે તેઓ<strong> ‘ડુંગરનો ઉંદર’ </strong>તરીકે ઓળખાયા. દેશને દુ:શ્મનોથી આઝાદ કરવા ધનની જરુર હતી તો ધનિકો આગળ બળજબરી પણ કરી. ભ્રષ્ટ ઇતિહાસકારોએ તેઓને લુંટારુ તરીકે પણ ઓળખાવ્યા. આવા કલંકો કપાળે ચોંટ્યા છતાં એની પરવા ન કરતા દેશને મુસલમાનોના ત્રાસમાંથી મુક્ત કર્યો અને મા ભારતીને આઝાદ કરી. આ છે સામાજિક મહાનતા.</p>
<p>સરદાર પટેલે કૃષ્ણ તેમજ મહાન શિવાજીનું અનુસરણ કરીને સંસદમાં પોતાને મળેલી સ્પષ્ટ બહુમતિનો ફાયદો ઉઠાવીને દેશનું સુકાન સક્રિયતાથી ગ્રહણ કર્યું હોત તો આ દેશ બચી જાત. પરંતુ એ માટે પોતાના કપાળમાં<strong> ‘સરદાર સત્તાલાલચુ છે’ </strong>એવું લેબલ જરુર લાગ્યું હોત. અને પોતાના નેતાની આજ્ઞા ન માનનારા અનુયાયી તરીકે તેઓની ગણના થઈ હોત ! તેથી શું થઈ ગયું ? આજે આપણે કૃષ્ણ તેમજ શિવાજીને કેવી રીતે યાદ કરીએ છીએ? કલંક લાગ્યા હોવા છતાં તેઓની મહાનતામાં કોઈ ઓટ આવી છે ખરી? અરે, કલંક સ્વીકરવા માટે પણ હિંમત જોઈએ. અને દેશ તેમજ સમાજ માટે દિલમાં પ્રેમ જોઈએ. ‘હું કેવો લાગીશ?’ એવું મહાન માણસો ક્યારેય વિચારતા નથી.</p>
<p>ભુતકાળના એવા ઘણા દાખલા આપણે સાંભળ્યા છે, કે કોઈ વિધવા બહેન સાથે ગામના કોઈ પુરુષે કુકર્મ કર્યું હોવાથી એ બહેનને ગર્ભ રહે છે. તેથી રાત્રે ત્રણ વાગે એ બહેન ગામના કુવે આપઘાત કરવા જાય છે. કોઈ સંત ત્રણ વાગે ઉઠીને કુવાકાંઠે સ્નાન કરી રહ્યા હોય છે. તેઓ બહેનની સ્થિતિ જાણીને એને આશ્વાસન આપે છે, કે ‘જા બહેન, કોઈ પુછે તો બાળકના પિતા તરીકે મારું નામ આપી દે જે. દુનિયાની નજરમાં હું તારો પત્ની તરીકે સ્વીકાર કરીશ.’ અહિં સંત એક જીવને બચાવવા કલંક વહોરે છે. આ લોકો ખરા અર્થમાં મહાન છે, નહિ કે માત્ર વ્યક્તિગત મહાન લોકો. કોઈ વ્યક્તિની મહાનતા સમાજ માટે, દેશ માટે કોઈ કામની ન હોય અથવા સમષ્ટિને દીર્ઘકાલીન મોટું નુકશાન કરી જાય એવી વૈયક્તિક મહાનતા ને શું કરવાની?</p>
<p>ગાંધીજીની મહાનતા બેશક વૈયક્તિક કક્ષાએ તેઓને મનુષ્યમાંથી દેવ સુધી પહોંચાડી ચુકી હતી !?! અને<strong> જે દેવ બની જાય છે એણે દેવ થઈ જવું (ગુજરી જવું) જોઈએ.</strong> જેમ સુર્ય, નદી, ચંદ્ર ‘અપના-પરાયા’ જેવા ભેદભાવ કરતા નથી તેમ ગાંધીજી બતાવતા માગતા હતા કે તેઓને મન હિન્દુ-મુસલમાન પ્રત્યે સમભાવ છે. પરંતુ આપણે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જોવા માગીએ છીએ. ‘ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે’ એ વાત વિશ્વ કક્ષાએ સાબિત કરવા માગીએ છીએ. તેથી જેમ સુર્ય, ચંદ્ર, નદી મૌન જ સારા તેમ આપણે ગાંધીજીને મૌન કરી દીધા એ જ શ્રેષ્ઠ કાર્ય થયું છે. હવે દેશની નીતિ તેમજ ચલણી નાણાંમાંથી તેઓને દુર કરવાની જરુર છે.</p>
<p>ગાંધીજી તેમજ નહેરુની મંદબુદ્ધિનું પ્રદર્શન કરતી નીતિઓ આપણ દેશમાં લાગુ કરવાના કારણે સાઈઠથી વધુ વર્ષોમાં ભારતને કેટલું બધું નુકશાન થયું છે, એ જણાવતો અને આજના આ લેખના શીર્ષકને વધુ સાર્થક સાબિત કરતો નીચે જણાવેલા શીર્ષકવાળો અગાઉ અહિં જ પ્રકાશીત થઈ ચુકેલો લેખ આ વેબસાઈટ પર જરુર વાંચો:</p>
<p><a href="http://vicharo.com/2010/08/15/kharekhar-ajhad/"><strong>‘શું આપણે ખરેખર આઝાદ છીએ?’</strong></a></p>
</div>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[લખવું છે નામ રેત પર કોને]]></title>
<link>http://rujushastri.wordpress.com/2010/03/03/%e0%aa%b2%e0%aa%96%e0%aa%b5%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87/</link>
<pubDate>Wed, 03 Mar 2010 05:10:07 +0000</pubDate>
<dc:creator>rujushastri</dc:creator>
<guid>http://rujushastri.wordpress.com/2010/03/03/%e0%aa%b2%e0%aa%96%e0%aa%b5%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87/</guid>
<description><![CDATA[expressingછે વફાદાર જળ-લહેર કોને. કોણ કોને છળે, ખબર કોને, રહગુજર કોને, રાહબર કોને. કોઇ સામે નથી, કશુ]]></description>
<content:encoded><![CDATA[<p><strong><div id="attachment_38" class="wp-caption aligncenter" style="width: 310px"><a href="http://rujushastri.files.wordpress.com/2010/03/child_writing_on_sand.jpg"><img src="http://rujushastri.files.wordpress.com/2010/03/child_writing_on_sand.jpg?w=300&#038;h=224" alt="rujuta writting" title="writing_on_Sand" width="300" height="224" class="size-medium wp-image-38" /></a><p class="wp-caption-text">expressing</p></div>છે વફાદાર જળ-લહેર કોને.</p>
<p>કોણ કોને છળે, ખબર કોને,</p>
<p>રહગુજર કોને, રાહબર કોને.</p>
<p>કોઇ સામે નથી, કશું જ નથી,</p>
<p>તો ય તાકે છે નિત નજર કોને.</p>
<p>મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,</p>
<p>કોણ કરવાનું તરબતર કોને.</p>
<p>હું જ છું એક જે ગમું એને,</p>
<p>બાકી ભેટે છે પાનખર કોને.</p>
<p>મોતી નીકળ્યા કરે છે આંખોથી,</p>
<p>સ્વપ્નમાં આવ્યું માનસર કોને.</p>
<p>જાણું છું શ્વાસની દગાબાઝી,</p>
<p>છે ભરોસો હવા ઉપર કોને.</p>
<p>સર્વને આવકારે સમ-ભાવે,</p>
<p>ના કહે છે કદી કબર કોને.</p>
<p>બે ઘડી આ ગઝલ ગમી તો બસ,</p>
<p>દોસ્ત અહીં થાવું છે અમર કોને</strong></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[gujAr@t newS...]]></title>
<link>http://archytheone.wordpress.com/2010/02/16/gujarat-news/</link>
<pubDate>Tue, 16 Feb 2010 04:44:21 +0000</pubDate>
<dc:creator>~Archi~</dc:creator>
<guid>http://archytheone.wordpress.com/2010/02/16/gujarat-news/</guid>
<description><![CDATA[According to the August 8 report of the National Council of Applied Economic Research, the richest c]]></description>
<content:encoded><![CDATA[<p>According to the August 8 report of the National Council of Applied Economic Research, the richest city in <a class="zem_slink" title="India" href="http://maps.google.com/maps?ll=28.6133333333,77.2083333333&#38;spn=10.0,10.0&#38;q=28.6133333333,77.2083333333%20%28India%29&#38;t=h" rel="geolocation">India</a> is now <a class="zem_slink" title="Surat" href="http://maps.google.com/maps?ll=21.17,72.83&#38;spn=0.1,0.1&#38;q=21.17,72.83%20%28Surat%29&#38;t=h" rel="geolocation" target="_blank">Surat</a>, ahead of Bangalore and Madras, with an average annual household income of Rs 0.45 million (over $11,000 per year).</p>
<p>80 per cent of all diamonds sold anywhere in the world are polished in Surat&#8217;s 10,000 diamond units</p>
<p>Between 2004-5 and 2007-8 Surat&#8217;s middle class doubled in size and its poor reduced by a third.</p>
<p>The percentage of man-days lost in <a class="zem_slink" title="Gujarat" href="http://en.wikipedia.org/wiki/Gujarat" rel="wikipedia">Gujarat</a> due to labor unrest is 0.42 per cent, the lowest in India.</p>
<p>Of Gujarat&#8217;s 18,048 villages, 17,940 have electricity.</p>
<p>The world&#8217;s largest oil refinery is coming up in Jamnagar.. Owned by Reliance, it already refines 660,000 barrels of oil a day and will double that this year.</p>
<p>Thirty per cent of India&#8217;s cotton is grown in Gujarat, 40 per cent of India&#8217;s art-silk is manufactured in Surat, employing 0.7 million people.</p>
<p>The world&#8217;s third largest denim manufacturer is Ahmedabad&#8217;s <a class="zem_slink" title="Arvind Mills" href="http://www.arvindmills.com/" rel="homepage">Arvind Mills</a>.</p>
<p>A KPMG report says 40 per cent of India&#8217;s pharmacy industry is based in Gujarat with companies like Torrent, <a class="zem_slink" title="Cadila Healthcare" href="http://www.zyduscadila.com/" rel="homepage">Zydus Cadila</a>, Alembic, Dishman and Sun Pharma.</p>
<p>The state of Gujarat&#8217;s GDP has been growing at 12 per cent a year for the last 12 years, as fast as China&#8217;s.</p>
<p>India&#8217;s wealthiest man, <a class="zem_slink" title="Mukesh Ambani" href="http://en.wikipedia.org/wiki/Mukesh_Ambani" rel="wikipedia">Mukesh Ambani</a> of Reliance, is <a class="zem_slink" title="Gujarati language" href="http://en.wikipedia.org/wiki/Gujarati_language" rel="wikipedia">Gujarati</a>. Forbes says he is the world&#8217;s fifth richest man, worth $43 billion. <a class="zem_slink" title="Azim Premji" href="http://en.wikipedia.org/wiki/Azim_Premji" rel="wikipedia">Azim Premji</a> of Wipro, is Gujarati. He is the world&#8217;s 21st richest man, worth $17 billion.</p>
<p>Ten of the 25 <a class="zem_slink" title="List of Indians by net worth" href="http://en.wikipedia.org/wiki/List_of_Indians_by_net_worth" rel="wikipedia">richest Indians</a> are Gujarati.</p>
<p>Some of the best business communities in India &#8212; Parsis, Jains, Memons, Banias, Khojas and Bohras &#8212; speak Gujarati.</p>
<p>The two great leaders of the subcontinent, the Mahatma and the Quaid, were both <a class="zem_slink" title="Gujarati people" href="http://en.wikipedia.org/wiki/Gujarati_people" rel="wikipedia" target="_blank">Gujaratis</a> from trading communities. One a Bania, the other a Khoja.</p>
<p>Gujaratis number 55 million, five per cent of India&#8217;s population living on six per cent of surface area, but hold 30 per cent of all Indian stocks in share market.</p>
<p><strong>Related Articles:</strong></p>
<ul class="zemanta-article-ul">
<li class="zemanta-article-ul-li"><a href="http://drvinubhai.wordpress.com/2011/05/14/v-gujarati/">V Gujarati</a> (drvinubhai.wordpress.com)</li>
<li class="zemanta-article-ul-li"><a href="http://enbrouderie.com/2011/02/23/indian-embroidery-gujarati-dancers/">Indian Embroidery: Gujarati dancers</a> (enbrouderie.com)</li>
<li class="zemanta-article-ul-li"><a href="http://skillsinfo.wordpress.com/2011/03/28/education-skills-gap-growth-india-gujarat-growth-at-the-rate-of-11-per-cent/">Education / Skills Gap / Growth / India / Gujarat : growth at the rate of 11 per cent</a> (skillsinfo.wordpress.com)</li>
<li class="zemanta-article-ul-li"><a href="http://abhijeetmundhe.wordpress.com/2011/03/23/gujarati-song-in-bollywood/">Gujarati Song in Bollywood.. ?</a> (abhijeetmundhe.wordpress.com)</li>
<li class="zemanta-article-ul-li"><a href="http://dipendalal.wordpress.com/2010/05/10/facts-about-gujarat/" target="_blank">http://dipendalal.wordpress.com/2010/05/10/facts-about-gujarat/</a></li>
</ul>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[જાગતાને શી રીતે જગાડાય?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/11/20/%e0%aa%9c%e0%aa%be%e0%aa%97%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b6%e0%ab%80-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%ab%87-%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%af/</link>
<pubDate>Fri, 20 Nov 2009 15:20:33 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/11/20/%e0%aa%9c%e0%aa%be%e0%aa%97%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b6%e0%ab%80-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%ab%87-%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%af/</guid>
<description><![CDATA[નીચેની નોંધ &#8220;પ્રકાશન વ્યવસ્થાના સુધારા&#8221; વિભાગમાંથી અહીં મૂકી છે, કારણ કે ઘણા વાચકો માત્ર]]></description>
<content:encoded><![CDATA[<p>નીચેની નોંધ &#8220;પ્રકાશન વ્યવસ્થાના સુધારા&#8221; વિભાગમાંથી અહીં મૂકી છે, કારણ કે ઘણા વાચકો માત્ર નવી પોસ્ટ જ જૂએ છે:</p>
<p>હમણાં જ એક ખ્યાતનામ વકીલ અને સમર્થ લેખકનું, ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરનું સુંદર પુસ્તક વાંચવામાં અાવ્યું. તેમાં ટૂંકા ટૂંકા લેખોનો સંગ્રહ છે, અને ભારતના ઇતિહાસની વિગતો રસપ્રદ રીતે અાપી છે. સાત્ત્વિક સાહિત્ય માટે જાણીતી એક પ્રકાશન સંસ્થાએ તે બહાર પાડ્યું છે. ઉત્તમ લેખક, પ્રકાશક, લેખોનો વિષય અને અાઝાદીની ચળવળના સમયનો સમન્વય થયો હોય પછી તેમાં શું કહેવાપણું હોય?</p>
<p>લગભગ અઢીસો પાનાં (૮ x ૧૧”) છે, પણ તે વાંચતાં તો મારી અાંખે ઝળઝળિયાં અાવી ગયાં. પ્રત્યેક પંક્તિમાં એક-બે મુદ્રણદોષો છે. જોડણીની વાત જવા દો, અા તો ખોટા અક્ષરો, અાઘાપાછા અને અાડાઅવળા અક્ષરો, “રૂ”ના બદલે “ઋ”, ઉપરાંત સમગ્ર પુસ્તક અાડેધડ ટાઇપ કરવામાં અાવ્યું છે. મને ખબર છે કે અાપણે ત્યાં મુદ્રિત લખાણની ચકાસણી કરવાવાળાઓની અછત છે. પણ ક્ષમાયાચના સાથે કહું છું કે કોઇ અંધ વ્યક્તિએ પણ જો તેના ઉપર નજર ફેરવી હોત તો એ બધી ભૂલો પકડી અને સુધારી શકાઇ હોત.</p>
<p>અાવી અસહ્ય અને અક્ષમ્ય બેદરકારી કેમ સાંખી લેવાય છે? ગુજરાતી ભાષાનો અા તદ્દન નગ્ન તિરસ્કાર છે. એ પુસ્તકની બે હજાર કે ગમે તેટલી નકલ છપાઇ હોય તો પણ તેની હોળી કરીને પ્રકાશકે અને લેખકે જનતાની ક્ષમા માગવી જોઇએ. ગાંધીજીએ તો એક વખત તેમ જ કર્યું હતું, સાવ “ભાષાંતરિયો” અનુવાદ હતો તેથી. ટાઇપ કરનારને કદાચ ઉતાવળ હશે, કોઇ પ્રસંગ સાચવવાનો હશે, ગમે તેમ હોય, પણ અાવું કામ થાય તો તો ઢાંકણીમાં પાણી લેવા જેવું થાય. નબળા લેખકો, દરિદ્ર પ્રકાશનગૃહો, અને ગાંધી સાહિત્ય સિવાયનાં પુસ્તકોમાં પણ અાવું તો ન જ ચાલે, તો પછી સિદ્ધહસ્ત લેખકો અને માતબર પ્રકાશકો પાસેથી પ્રકાશનનાં લઘુતમ ધોરણોની અપેક્ષા તો હોય જ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/11/03/%e0%aa%b6%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/</link>
<pubDate>Wed, 04 Nov 2009 00:24:14 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/11/03/%e0%aa%b6%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a7%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/</guid>
<description><![CDATA[અંગ્રેજી વિશ્વભાષા કહેવરાવવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, એ બાબત બે મત હોઇ શકે, પણ ભારતમાં તે &#8220;અ]]></description>
<content:encoded><![CDATA[<p>અંગ્રેજી વિશ્વભાષા કહેવરાવવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, એ બાબત બે મત હોઇ શકે, પણ ભારતમાં તે &#8220;અાગળ વધવાની ભાષા&#8221; તરીકે જનતા વડે તો સ્વિકૃત થઇ ચૂકી છે. અાગળ વધવામાં પૈસાનો ફાળો સારો એવો હોય છે. તેથી અંગ્રેજી પૈસા કમાવાની જાણે કે એક ટીકિટ બની ગઇ છે. ગમે તેટલું દુઃખ થતું હોય તો પણ અા ઘટના સમજી શકાય તેવી છે. અંગ્રેજી, કે બીજી કોઇ પણ ભાષા શીખવા સામે અાપણો વિરોધ ન જ હોવો જોઇએ. સવાલ એ છે કે અાપણા ભાષા અને સંસ્કારઘરની ચાવી તેના હાથમાં સોંપી દેવાનું યોગ્ય છે કે નહીં. ખુદ માતૃભાષા ગુજરાતી જ અંગ્રેજીમાં શીખવવાનું યોગ્ય લાગે છે ખરું? ન્યૂયોર્કમાં જ નહીં, પણ અમદાવાદમાં પણ, &#8220;વાળ&#8221; એટલે &#8220;હેર&#8221;, એમ બોલતાં જીભે લોચા નથી વળતા? વળવા જોઇએ ખરા?</p>
<p>જીવનનાં ચાર પ્રયોજનો, ધર્મ-અર્થ-કામ-મોક્ષમાંથી હવે માત્ર એક &#8220;અર્થ&#8221; જ બાકી રહેવા પામ્યું છે, ત્યાં જીવતર પાછળ બીજો કોઇ અર્થ પણ છે કે હોવો જોઇએ એમ અાપણને લાગે છે? જો તેનો જવાબ &#8220;ના&#8221; હોય, તો તો સઘળા શીક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોય તે નિર્વિવાદ છે. ધર્મ, સંસ્કાર, સંસ્કૃિત, રાષ્ટ્રગૌરવ, એ કશાની ય જો અાપણને પડી ન હોય, તો તો અંગ્રેજી માધ્યમ સામે અાપણને કંઇ વાંધો ન હોઇ શકે. અંગ્રેજી પ્રત્યેની અાપણી અાંધળી ભક્તિ અને દોટ, કદાચ અાપણાં ધર્મ, સંસ્કૃિત, ઇત્યાદિમાં ઘૂસેલા સડા, ભ્રષ્ટાચાર, તથા પાખંડ તરફની ભારેલી ઘૃણાની સલામત છટકબારી તો નથી ને!</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ભાષા શીક્ષણ : ગુજરાતી, અંગ્રેજી માધ્યમ દ્વારા.]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/11/03/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%b6%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%8d/</link>
<pubDate>Tue, 03 Nov 2009 22:30:57 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/11/03/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%b6%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%8d/</guid>
<description><![CDATA[ગુજરાતમાં, ભારતમાં, અને વિદેશમાં વસતા ભિન્ન ભિન્ન વયના ગુજરાતીઓને ગુજરાતી શીખવાની જરૂર છે ખરી? શા મા]]></description>
<content:encoded><![CDATA[<p>ગુજરાતમાં, ભારતમાં, અને વિદેશમાં વસતા ભિન્ન ભિન્ન વયના ગુજરાતીઓને ગુજરાતી શીખવાની જરૂર છે ખરી? શા માટે? વળી, મહારાષ્ટ્રમાં (મુંબાઇ) અા પ્રશ્ન વધારે તીવ્ર છે, કારણ કે ત્યાં તો મરાઠી પછી જ ગુજરાતીનો વારો અાવે. એક પાયાનો પ્રશ્ન એ પણ છે કે, કોઇની ગુજરાતી શીખવાની ઇચ્છા છે ખરી? ભારતની બહાર તો અાપણાં બાળકોને અમેરિકામાં જન્મેલાં, અને દિશાશૂન્ય (કન્ફ્યૂઝ્ડ), દેશી (એબીસીડી) તરીકે ઓળખવામાં અાવતાં હતાં. હવે ખુદ ગુજરાતમાં જ અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ હિજરત થવા માંડવાથી બાળકોનાં માબાપ જ ગુજરાતમાં જન્મ્યા હોવા છતાં દિશાશૂન્યતાને અારે અાવી ઊભાં છે. અંગ્રેજી માધ્યમ દ્વારા સકળ શીક્ષણ અાપવાની વાત અાપણે એક જૂદા વિભાગમાં ચર્ચીશું (શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?). ગુજરાતી શીખવવાને લગતા, અા અને અન્ય મુદ્દાઓ ઉપર તેમનાં મંતવ્યો રજૂ કરવા અામંત્રણ છે.</p>
<p>&#160;</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[હવે અાપણે ષેના ઉપર જગદીષું?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/11/02/%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%85%e0%aa%be%e0%aa%aa%e0%aa%a3%e0%ab%87-%e0%aa%b7%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%b7%e0%ab%81/</link>
<pubDate>Mon, 02 Nov 2009 18:12:24 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/11/02/%e0%aa%b9%e0%aa%b5%e0%ab%87-%e0%aa%85%e0%aa%be%e0%aa%aa%e0%aa%a3%e0%ab%87-%e0%aa%b7%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%b7%e0%ab%81/</guid>
<description><![CDATA[અાપણે સાર્થ કે ઉંઝા જોડણી ઉપર સારી એવી ચર્ચા કરી છે. તથા અનુસ્વારની મથામણ ઉપર પણ ચર્ચાની શરૂઅાત કરી]]></description>
<content:encoded><![CDATA[<p>અાપણે સાર્થ કે ઉંઝા જોડણી ઉપર સારી એવી ચર્ચા કરી છે. તથા અનુસ્વારની મથામણ ઉપર પણ ચર્ચાની શરૂઅાત કરી છે. <a rel="external nofollow" href="http://vkvora2001.blogspot.com/">vkvora, Atheist, Rationalist</a> તરફથી અાજે મળેલી નવી નોંધ, કે જે &#8220;જોડણી: સાર્થ, અરાજક, કે ઉંઝા?&#8221; એ વિભાગમાંથી લઇને નીચે ફરીથી છાપેલી છે, તેના ઉપરથી લાગે છે કે હવે જ/ઝ, તથા શ/ષ/સ, અને તેવા બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની જરૂ ર છે.</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;.</p>
<p><cite><a rel="external nofollow" href="http://vkvora2001.blogspot.com/">vkvora, Atheist, Rationalist</a></cite> Says:</p>
<p><a href="http://bharatshah.wordpress.com/2009/08/16/%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%85%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95-%e0%aa%95%e0%ab%87-%e0%aa%89%e0%aa%82%e0%aa%9d%e0%aa%be/?trashed=1&#38;ids=173#comment-172">November 1, 2009 </a></p>
<p>લાગે છે કે આ સાર્થ ઝોડણીની ચર્ચામાં હજી ઝોર નથી આવ્યું. ગુજરાતમાં કચ્છ, મહેષાણા, ષૌરાષ્ટ્ર, ષુરત અને વલસાડના લોકો જે ભાશા બોલે છે એ આમ તો ગુઝરાતી છે પણ લખીયે ત્યારે ખબર પડે કેટલી અલગ છે. શરુઆત ગુજરાત, ગુઝરાત, ગૂજરાત, ગૂઝરાતથી થાય.</p>
<p>અંગ્રેઝીમાં ષબ્દોને અક્ષરો પ્રમાણે ષોર્ટીંગ કરવાની ઝે વ્યવસ્થા છે એનાથી ડીક્ષ્નરીમાં શબ્દ ક્યાં હશે તે ખબર પડી જાય છે.ષાર્થ ઝોડણીમાં એવા ઘણા ષબ્દો છે જેનો લગભગ ઉચ્ચાર ખબર હોવા છતાં ઝોડણીના કારણે મળતા નથી અને ગોતાગોત કરવી પડે છે. જે એક ઝાતની ષજા કહેવાય. પણ જો ઈ, ઉ એક હોય તો એટલી ષઝા આખા ઝનમારાની ઝનમટીપને બદલે ૧૪ વર્ષની થાય.</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;.</p>
<p>સંચાલકનો પ્રત્યુત્તર:</p>
<p>સર્વ પ્રથમ તો ત્રણ શ/ષ/સ અને બે જ/ઝની અાવશ્યકતા વિષે વાત કરીએ. વધતી જતી ઉંમર સાથે (ઘરડા થવાની વાત નથી. જન્મ્યા ત્યારથી જ ઉંમર વધતી અાવી છે) નવું શીખવાનું અઘરું પડે, પણ જૂનું કે નવું સઘળું ય ભૂલવાની તો મજા અાવે. મને જો કે અા ત્રણ અને બે વ્યંજનોનો બોજ ભારે નથી પડતો.</p>
<p>કચરા જેવા, એના એ જોક ફરી ફરીને સાંભળતાં જ મને તો ક્યાં તો જાળમાં કે પછી ઝાળમાં ફસાયો હોઉં તેમ લાગે છે, અને એવા એવા &#8220;જોકો&#8221; સાંભળીને ઝોકાં જ અાવવા માંડે છે. તેથી જ/ઝ બંને એક જ માના કે બાપના સંતાન છે તે તો સમજી શકાય તેવું છે. પરંતુ, અાપણે વ્યવહારમાં જોઇએ જ છીએ કે એક જ માબાપનાં બે સંતાનોમાં પણ ઘણો તફાવત હોય છે.</p>
<p>બહુ ખાવાથી ક્યાં તો ઝાડા થાય, નહીં તો પછી જાડા થઇ જવાય. વળી અાપણા જીવનસાથીને &#8220;જોડ&#8221;ના બદલે &#8220;ઝોડ&#8221; કહેવાનું જો સત્તાવાર રીતે શક્ય બને, તો તે કદાચ ગમે પણ ખરું.</p>
<p>ત્રણમાંના વચલા &#8220;ષ&#8221; તરફ મારો જીવ હંમેશાં ખેંચાય છે, અને તેને ઘણા સમયથી અન્યાય થતો અાવ્યો છે, તેમ પણ મને વસતું જાય છે. તેને બિચારાને કોઇ વાપરતું જ નથી. &#8220;ષટકોણ&#8221; શબ્દ તો હવે Non-nonresidents પણ નથી વાપરતા. એટલે ત્રણે યના બદલે માત્ર એક &#8220;ષ&#8221; જ વાપરવાની વાત જચે એવી છે. બીજો એક ફાયદો પણ છે. ગુજરાતીનો ગમે તેટલો મોટો વિરોધી પણ &#8220;ષું ષાં પૈષા ચાર&#8221; કહેતાં સો વાર વિચાર કરતો થઇ જાય!</p>
<p>ગુજરાતી ભાષા ધરમૂળથી ઊખડી જાય તે પહેલાં અા પ્રાણપ્રશ્નનો નિવેડો જો નહીં લાવીએ તો પછી ઘણું મોડું થઈ જશે. વાચકોને સત્વરે તેમના વિચારો જણાવવા વિનંતિ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ભાષા સુધારણાની જરૂર છે ખરી?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/28/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%96%e0%aa%b0/</link>
<pubDate>Wed, 28 Oct 2009 17:24:29 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/28/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%96%e0%aa%b0/</guid>
<description><![CDATA[પૂર્ણતાનો અાગ્રહ: કોઇ પણ ભાષા સર્વાંગસંપૂર્ણ નથી, અને તેમ હોવાની જરૂર પણ નથી. ભાષાનું કામ ચાલતું રહે]]></description>
<content:encoded><![CDATA[<ol>
<li>પૂર્ણતાનો અાગ્રહ: કોઇ પણ ભાષા સર્વાંગસંપૂર્ણ નથી, અને તેમ હોવાની જરૂર પણ નથી. ભાષાનું કામ ચાલતું રહે તેટલું જ બસ છે. અંતે તો ભાષા વ્યવહારનું સાધન છે. બે પક્ષો વચ્ચેના સંપર્કમાં વિઘ્ન ન અાવતું હોય ત્યાં સુધી ભાષાને સુધારવાની અગત્ય કોઇના ગળે ઉતારવી મુશ્કેલ છે.</li>
<li>નવા પ્રવાહો:  ભાષા જેમ જેમ બીજી ભાષાઓના સંપર્કમાં અાવતી જાય, જેમ જેમ તે ખેડાતી જાય, તેમ તેમ તેનું શબ્દંડોળ બદલાતું જાય છે, અને તેને વારંવાર વ્યવસ્થિત કરતા રહેવાની જરૂર પડતી રહે છે. સાર્થ જોડણીકોશને અાની ખાસ જરૂર છે.</li>
<li>પુરાણા અને અવરોધકારક વ્યાકરણના અને જોડણીના નિયમો: લઘુ-ગુરુના કે અનુસ્વારના નિયમો માત્ર ગ્રંથોમાં હોય, પણ વ્યવહારમાં કોઇ તે પાળતું ન હોય, તો ક્યાં તો નિયમો, અથવા તેમનું અપાતું શીક્ષણ બદલવાની જરૂર ઊભી થાય.</li>
<li>વાપરનારની સગવડ:  ભાષા લોકોના વપરાશ માટે છે, અને અમુક હદ સુધી લોકોને તે માટે તૈયાર કરી શકાય. તેથી વધારે અપેક્ષા રાખવી યોગ્ય ન પણ લાગે. અા સગવડમાં જો અાળસ, બેદરકારી, ઉદ્દંડતા, અવગણના, અવહેલના, વગેરે ઉમેરીએ, તો પછી ચર્ચા માટે નવા નવા વિકલ્પો ઊભા થાય છે.</li>
<li>ભાષાની કથળતી હાલત:  કોઇ પણ કારણથી પ્રજા જો ભાષાની વિમુખ થઇ જાય, તો તો કટોકટી જ સર્જાય. બીજી કોઇ ભાષાની (અંગ્રેજી) લોકપ્રિયતા વધે, તેટલા માત્રથી ગુજરાતીનો તેમાં કંઇ દોષ છે, તેવું ફલિત નથી થતું. ભાષામાં ગમે તેટલા સુધારા કરવાથી અા પરિસ્થિતિનો અંત અાવે તેમ નથી હોતું. બીજા કોઇ ઊપાયની અપેક્ષા રહે છે.</li>
</ol>
<p>ભાષામાં સુધારો કરતાં પહેલાં ઉપરના મુદ્દાઓ ઊપર પૂરતો વિચાર કરવાની અાવશ્યકતા છે. નહીં તો &#8220;દુઃખે પેટ અને કૂટે માથું&#8221; જેવો ઘાટ થાય. સુધારાનો કોઇ પણ પ્રયત્ન ભાષાના ચાહકોમાં ફાટફૂટ પડવાનું પ્રથમ પગથિયું હોય છે. બંને પક્ષે નિષ્ઠા તીવ્ર હોય છે. અભિપ્રાયો પણ તેટલા જ વહાલા હોય છે, અને જો મધ્યમ માર્ગ ન નીકળે તો વિજયની અાશા પણ નકામી જ હોય છે. પક્ષો છૂટા પડે એ એક જ રસ્તો બાકી રહે છે. અા સંજોગોમાં ભાષાની સુધારણાની ખરેખર જરૂર છે કે નહીં, તેના કયા અંગને સુધારવાની જરૂર છે, જો જરૂર ન હોય તો બીજું શું કરવાની જરૂર છે, ઇત્યાદિ ખાસ વિચાર માગી લે છે.</p>
<p>વાચકોને તેમનાં મંતવ્યો રજૂ કરવા અામંત્રણ છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અંગ્રેજીની અવેજીમાં વપરાય તેવા ગુજરાતી શબ્દો]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/24/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%ab%87%e0%aa%9c%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be/</link>
<pubDate>Sat, 24 Oct 2009 22:33:49 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/24/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%ab%87%e0%aa%9c%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be/</guid>
<description><![CDATA[અહીં નવા શબ્દોનું સર્જન કરવાનો વિચાર નથી. તેમ કરવાની જરૂર પણ નથી. ગુજરાતી ભાષામાંના ઘણા શબ્દો અાપણે]]></description>
<content:encoded><![CDATA[<p>અહીં નવા શબ્દોનું સર્જન કરવાનો વિચાર નથી. તેમ કરવાની જરૂર પણ નથી. ગુજરાતી ભાષામાંના ઘણા શબ્દો અાપણે વાપરતા નથી, તેથી ભૂલી જઇએ છીએ, અને થોડા સમય પછી &#8216;ગુજરાતીમાં એના માટે કોઇ શબ્દ જ નથી&#8221; એમ માનવા લાગીએ છીએ. અાપણી લાચારી ભાષાના માટે ચડાવીએ છીએ. નીચે કેટલાક ગુજરાતી શબ્દો અા બ્લૉગ ઉપરથી લઇને મૂક્યા છે. તેમના બદલે કયો અંગ્રેજી શબ્દ વપરાયો હોત તે કલ્પવું અઘરું નથી. અા શબ્દો વાપરવા સાધારણ પ્રયત્ન કરીએ તો સારું.</p>
<p>સ્મૃિત (Memory)</p>
<p>સામયિક (Magazine, Periodical, from Period = સમય, )</p>
<p>સામાયિક (જૈન ધર્મીઓ દ્વારા કરાતી એક ક્રિયા)</p>
<p>પંક્તિ (Line)</p>
<p>સભા (Meeting)</p>
<p>કહેવત (Proverb)</p>
<p>રૂઢપ્રયોગ (Idiom)</p>
<p>અજ્ઞાન (Ignorance)</p>
<p>પ્રયત્ન, પ્રયાસ (Effort, Attempt)</p>
<p>પરવડવું (to Afford)</p>
<p>મુદ્દો (Point, Topic)</p>
<p>ટીપ્પણ (Comment)</p>
<p>પરચૂરણ (Miscellaneous)</p>
<p>અભિપ્રાય (Opinion)</p>
<p>વિભાગ (Part, Section)</p>
<p>સૂચન (Suggestion)</p>
<p>પ્રશંસા (Praise)</p>
<p>સંચાલક (Moderator)</p>
<p>લાયકાત (Qualification)</p>
<p>માહિતી (Information)</p>
<p>પ્રાધ્યાપક (Professor)</p>
<p>પ્રકાશક (Publisher)</p>
<p>સુધારક (Reformer)</p>
<p>સાક્ષર, વિદ્વાન (Scholar)</p>
<p>સામાન્ય (General, Ordinary)</p>
<p>મંતવ્ય (Opinion, belief)</p>
<p>ઉપરની યાદીમાંના શબ્દો તમારાથી અજાણ્યા નથી. તે નવા પણ નથી, તરકટી (બનાવટી, કૃત્રીમ) પણ નથી. ગુજરાતી વાપરવાની વાત અાવે ત્યારે જેમને ગુજરાતી સાથે કંઇ સંબંધ રહ્યો ન હોય તેમને પણ ભદ્રંભદ્ર , અને તેમનું &#8220;અગ્નિરથ વિરામ સ્થાન&#8221; તો અચૂક યાદ અાવે છે. રખેને અાપણે એ ભૂલી જઇએ, કે ભદ્રંભદ્ર તો એક કૂવામાંના દેડકા જેવું, સંકુચિત મનોવૃત્તિ ધરાવતું, Archie Bunker જેવું પાત્ર છે, કે જે એક  Bigot છે. ગુજરાતી ભાષામાં જ્યારે કંઇ પણ કરવાનું અાવે ત્યારે ભદ્રંભદ્રને યાદ કરીને રસ્તામાં પથરા તરીકે મૂકી દેવા, એ તો ભદ્રંભદ્રીય વૃત્તિનું જ દ્યોતક છે. વળી પ્રેમ, જાતીય સંબંધ, વ્યસન, ઇત્યાદિ માટે અંગ્રેજીના કવચ નીચે ભરાઇ જવું તે પણ યોગ્ય નથી જ. ખરાબ વૃત્તિઓ તો માનવસહજ છે, ગુજરાતીઓ તેમાંથી બાકાત છે તેમ માનવું એ તો સગવડપૂર્વકનું અજ્ઞાન છે.</p>
<p>અંગ્રેજી ભાષા ગુજરાતીથી વધારે &#8220;પાવરફુલ્લ&#8221; છે, કે તેથી ઉલટું છે, તે બંને ભૂલભરેલાં વિધાનો છે. &#8220;To be or not to be&#8221; જેવા સાવ સરળ વાક્યનું ગુજરાતી થઇ નથી શકતું. તેમ જ, &#8220;મંગળ, સૌભાગ્ય, બ્રહ્મચર્ય, વિલીન થવું, ઘણી ખમ્મા, રક્ષાબંધન&#8221;, વગેરેનું અંગ્રેજી થઇ ન શકે. થઇ શકે તો પણ તેમાં રહેલી ભાવના બદલાઇ જાય છે. &#8220;લગ્ન&#8221; અને Marriage શબ્દકોશમાં ભલે સમાનાર્થ શબ્દો હોય, પણ અંગ્રેજી શબ્દમાં ભવોભવના સંબંધની વાત નથી, માત્ર મૃત્યુ સુધીની જ વાત છે. અાપણી ચર્ચા ભાષા વિષયક છે, તેથી કજોડાં વગેરે પ્રાણપ્રશ્નોથી અાપણે દૂર રહીશું.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[...પણ સાધારણ માણસ બિચારા શું કરી શકે?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/23/%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3%e0%aa%b8-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/</link>
<pubDate>Sat, 24 Oct 2009 02:36:48 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/23/%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3%e0%aa%b8-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/</guid>
<description><![CDATA[અામ તો કશું જ નહીં. બધાં કામ તો મહાન માણસોથી જ થાય છે. પણ એ બધાં કામ તેઓ મહાપુરુષ થતાં પહેલાં, હજુ ત]]></description>
<content:encoded><![CDATA[<p>અામ તો કશું જ નહીં. બધાં કામ તો મહાન માણસોથી જ થાય છે. પણ એ બધાં કામ તેઓ મહાપુરુષ થતાં પહેલાં, હજુ તેઓ સામાન્ય માણસ હોય છે, ત્યારે જ કરતા હોય છે. સામાન્ય માણસ કામ જ ન કરે તો તે મહાન થઇ જ ન શકે.</p>
<ol>
<li>અાપણાથી થઇ શકે તે કરવા માંડવું. પ્રભુના પયગંબરની રાહ જોઇને બેસી રહેવાથી કંઇ ફાયદો નહીં થાય. ભાષા જનસાધારણની માલિકીની છે, વિદ્વાનોની માલિકીની નથી.</li>
<li>દર રોજ સવારે એક પાનું કોઇ એક ગુજરાતી પુસ્તકનું વાંચવું. તે પછી જ અન્ય ભાષાનું લખાણ વાંચવું.</li>
<li>ઘરમાં જો ગુજરાતી પુસ્તક ન હોય તો તે, કે કોઇ સામયિક સત્વરે મંગાવી લેવું.</li>
<li>કંઇ જ ન હોય, તો છેવટે સ્મૃિતમાંથી કોઇ ગુજરાતી કાવ્ય, કે પ્રાર્થના, કે ભજન, કે ગીત યાદ કરવું.</li>
<li>પછી હિંદી કે સંસ્કૃતની કોઇ કૃતિ યાદ કરવી.</li>
<li>રોજ ઓછામાં ઓછી પાંચ પંક્તિનો એક પત્ર, પોતાના પતિ કે પત્નીને, એક જ ઘરમાં સાથે જ રહેતા હોય તો પણ, ગુજરાતીમાં લખવો. મોકલવો કે નહીં, તે તમારી મરજીની વાત છે.</li>
<li>ટેલિફોનમાં અને ઇ-મેઇલમાં ગુજરાતી સમજતાં હોય તેમની સાથે બને તેટલો વ્યવહાર ગુજરાતીમાં જ કરવો. ભાષાની મધુરતાને નુકશાન કરવાની જરૂર નથી.</li>
<li>હિંદુ કે જૈન ધર્મના ગ્રંથો અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વાચવાં સરવાળે વધારે સહેલાં પડશે. બને ત્યાં સુધી ગુજરાતી કે હિંદીમાં જ વાંચવાં.</li>
<li>સભામાં ગુજરાતી અને હિંદી ભેગાં કરવાથી તે બંને ભાષાના અજ્ઞાનની સાબિતી અપાય છે, તેથી બરોબર ન અાવડતું હોય તેમ લાગવા છતાં ગુજરાતીમાં બોલવા પ્રયત્ન કરવો. જરૂર પડ્યે લખી રાખવું.  અામ કરવાથી બીજાંને પણ તેમ કરવાનું મન થશે.</li>
<li>રોજ એક જૂની કહેવત કે રૂઢપ્રયોગ યાદ કરવો. &#8220;કામણગારી&#8221;, &#8220;નખરાળી&#8221;, કે &#8220;ફૂલીને ફાળકો થયો&#8221;, કે &#8220;પેટમાં તેલ રેડાયું&#8221; એ &#8220;તમને સાંભરે રે?&#8221; એમ કોઇ પૂછે, તો કહેજો કે, &#8220;મને કેમ વિસરે રે?&#8217;</li>
</ol>
<p>વાચકોને વધારે સૂચનો મોકલવા અામંત્રણ છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પરચુરણ]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/19/%e0%aa%aa%e0%aa%b0%e0%aa%9a%e0%ab%81%e0%aa%b0%e0%aa%a3/</link>
<pubDate>Mon, 19 Oct 2009 18:27:15 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/19/%e0%aa%aa%e0%aa%b0%e0%aa%9a%e0%ab%81%e0%aa%b0%e0%aa%a3/</guid>
<description><![CDATA[હા, હજુ એક વાત તો રહી ગઇ ! કેટલાક વાચકોએ પ્રશ્ન કર્યો છે કે તેમને જે વાત કહેવી છે, તે ક્યાં તો એકથી]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">હા, હજુ એક વાત તો રહી ગઇ !</p>
<p style="text-align:left;">કેટલાક વાચકોએ પ્રશ્ન કર્યો છે કે તેમને જે વાત કહેવી છે, તે ક્યાં તો એકથી વધારે મુદ્દા સાથે સુસંગત છે, અથવા તો એક્કે ય સાથે તેનો મેળ બેસતો નથી, તો તેનું શું કરવું? એકથી વધારે મુદ્દા સાથે લાગુ પડતી વાતના બની શકે તો ભાગ કરવા, અને પછી તે તે મુદ્દા સાથે તેને જોડવી. તે મુદ્દામાંની જે ટીકા સાથે તેને વધારે ગાઢ સંબંધ હોય, તે ટીકા ઉપર જઇ, ત્યાંના &#8220;જવાબ&#8221; બટન ઉપર ક્લિક કરીને, સાવ નીચેના બોક્સમાં અભિપ્રાય લખવો.</p>
<p style="text-align:left;">જે અભિપ્રાય કશાની સાથે બેસતો ન અાવતો હોય, તેના માટે અા વિભાગ છે. એક મુદ્દામાં ન સમાઇ શકે તેવા, કે હજુ સુધી નહીં છેડાયેલા મુદ્દા અંગેના અભિપ્રાયો, સૂચનો, પ્રશંસાનાં પુષ્પો, કે ખાસડાંના હારો (માત્ર સંચાલકને માટે જ. અન્ય કોઇની અા માટેની લાયકાત સ્વીકાર્ય નહીં ગણાય), ગોળગોળ વાતો, અમે પણ કંઇક છીએ તે સાબિત કરવાના પ્રયાસો, બીજા કોઇ બ્લૉગ ઉપર જો ગુજરાતી ભાષા સુધારણાની ચર્ચા થઇ રહી હોય તો તે બાબતની માહિતી, એ જ વિષય બાબત તાજેતરમાં કંઇ પ્રવૃત્તિના અહેવાલો અાવ્યા હોય તો તેની જાહેરાત, અામંત્રણો, ઇત્યાદિને યોગ્યતા પ્રમાણે અહીં સ્થાન મળી શકશે.</p>
<p style="text-align:left;">અા બ્લૉગ માત્ર પ્રાધ્યાપકો, શીક્ષકો, પ્રકાશકો, સુધારકો, અન્ય સાક્ષરો અને વિદ્વાનો માટે નથી. સામાન્ય ગૃહસ્થીઓ અને ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, અને બીજા જે કોઇને ગુજરાતી ભાષા વિશે ચિંતા કે ગૌરવ થતાં હોય તે સૌને માટે અા વિભાગ છે. મોકળા મને તમારા અભિપ્રાયો, મંતવ્યો, સઘળું રજૂ કરવા અામંત્રણ છે, ગુજરાતીમાં, દેવનાગરીમાં, કે અંગ્રેજીમાં.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મા અંગ્રેજી, હવે તો હું તમારે ખોળે છઉં !]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/09/%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%9b%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b9%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%96%e0%ab%80%e0%aa%8f-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%87/</link>
<pubDate>Sat, 10 Oct 2009 00:44:54 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/09/%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%9b%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b9%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%96%e0%ab%80%e0%aa%8f-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%87/</guid>
<description><![CDATA[તો પછી નાહી નાખીએ તો વધારે સારું નહીં? ગુજરાતી, અને (ઉત્તર) ભારતની ભાષાઓની બેહાલ સ્થિતિ, અને મરણાસન્]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">તો પછી નાહી નાખીએ તો વધારે સારું નહીં?</p>
<p>ગુજરાતી, અને (ઉત્તર) ભારતની ભાષાઓની બેહાલ સ્થિતિ, અને મરણાસન્ન અવસ્થા જોઇ શકાય તેમ નથી. જાણે કે માતૃભાષામાં હવે કોઇને રસ જ રહ્યો નથી. ભાષાઓની વિડંબણા અસહ્ય છે. સમાચારો અંગ્રેજીમાં અાવે, તેનું શીઘ્ર ગુજરાતી કરીને તે છપાય, કે ટીવી ઉપર વંચાય. હિંદી ચલચિત્રોની પટકથા પણ, કોઇ અગમ્ય કારણથી અંગ્રેજીમાં લખાયા પછી તેનું હિદી કરવામાં અાવે, અને પછી &#8220;બ્લૅક&#8221;માં અમિતાભ બચ્ચન, રાની મુકર્જીને &#8220;પાણી&#8221; કે &#8220;पानी&#8221;ને બદલે water લખતાં શીખવાડે, અને એ હિંદી ચલચિત્રના મોટા ભાગના સંવાદો અંગ્રેજીમાં જ હોય.</p>
<p>વિદેશમાં વસતાં બાળકોને ગુજરાતીમાં રસ લેતા કરવામાં અાપણે સદંતર નાકામિયાબ રહ્યા છીએ. અાપણે પોતે પણ ગુજરાતીના ક્ષયમાન શબ્દભંડોળને અખંડ માનીને રાચીએ છીએ. મોટા ભાગની વાતચીત, ઘરમાં અને બહાર, ગુજરાતી સાથે  બિનગુજરાતી સાથે, અંગ્રેજીમાં જ થાય છે. અમેરિકાના ગુજરાતી સમાજો, તથા સાંસ્કૃતિક સંસ્થાઓ, ભાગ્યે જ ગરબા અને ભજિયાં-ગાંઠિયાથી અાગળ વધે છે. હવે બાળકો મોટાં થઇ ગયાં છે, એટલે તેમને અાપણી સંસ્કૃિત તેમના ગળે ઝટપટ ઉતારી નાખવાનો અાપણો ઉત્સાહ ઓસરી ગયો છે. ગુજરાતી લિટરરી અૅકેડેમીની સભાઓમાં પણ અમારે સવાલો અંગ્રેજીમાં પૂછવાની છુટ અાપવી પડતી હતી.</p>
<p>ન્યૂ યૉર્કની એક જાણીતી ધાર્મિક સંસ્થાના વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેનારાં ૭૫ જેટલાં બાળકોને મેં મારું પોતાનું, $૨૦/- લેખે જેની ૫૦૦૦+ નકલો વેચાઇ છે તેવું, ગુજરાતી શીખવા/શીખવવા માટેનું પુસ્તક તદ્દન મફત ભેટ અાપવા માટે ધર્યું, તો પ્રમુખશ્રીએ જણાવ્યું કે બાળકોને ટ્રૉફીમાં વધારે રસ પડે છે. અલબત્ત, ટ્રૉફી અને પુસ્તક બંને કેમ ન અાપી શકાય, તે પ્રશ્ન પૂછવાની મારી હિંમત જ ન ચાલી. બીજી સંસ્થામાં નવરાત્રીના ગરબા પ્રસંગે તે પુસ્તક લહાણી તરીકે અાપવા (૨૦૦૦ સભ્યોને) એક સદ્ગ્રહસ્થ તૈયાર થયા હતા, પણ તે વખતે બિચારું પુસ્તક સ્ટીલના ડબાઓ અાગળ હારી ગયું. અા જોઇને મારું હૃદય કકળી ઊઠે છે.</p>
<p>ગુજરાતમાં પણ બાળકો તેમનાં માબાપની લક્ષ્મીપૂજા દરરોજ જૂએ છે, અને જો અંગ્રેજી શીખવાથી પૈસા વધારે સારી રીતે કમાઇ શકાય, તો પછી ગુજરાતીની કડાકૂટમાં શા માટે પડવું, એ દિશામાં મગજ દોડાવતાં થઇ ગયાં છે. અાપણી સંસ્થાઓ, પ્રકાશનગૃહો, પુસ્તક વિક્રેતાઓ, રંગભૂમિ, બધામાં &#8220;મડદાંની ગંધ&#8221; અાવે છે. અાના કરતાં તો અાપણે પ્રામાણિકતાપૂર્વક, ગુજરાતીના હાટને તાળું મારીને, હિંદીનાં હવાતિયાં મારવાનું છોડી દઇને, છડે ચોક, અંગ્રેજીનો સ્વીકાર કેમ કરી લેતાં નથી? અવગણના કરીને ધીમે ધીમે ભાષાને અાપોઅાપ મરવા દેવાનું અાપણા શાણપણને વધારે જચે છે તેથી? માતૃભાષાને પાખંડપૂર્વક મૃતઃપ્રાય હાલતમાં ઢસડાવા દેવા કરતાં, તેને ગૌરવ સાથે વિદાય કરવા સામે શું વાંધો છે?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[માતૃભાષા ગુજરાતી પ્રત્યે અાદરભર્યો વર્તાવ]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/08/%e0%a4%ac%e0%a4%be-%e0%a4%85%e0%a4%a6%e0%a4%ac-%e0%a4%ac%e0%a4%be-%e0%a4%ae%e0%a5%81%e0%a4%b2%e0%a4%be%e0%a4%b9%e0%a5%87%e0%a4%9c%e0%a4%be-%e0%a4%b8%e0%a4%be%e0%a4%b5%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8/</link>
<pubDate>Thu, 08 Oct 2009 19:19:00 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/08/%e0%a4%ac%e0%a4%be-%e0%a4%85%e0%a4%a6%e0%a4%ac-%e0%a4%ac%e0%a4%be-%e0%a4%ae%e0%a5%81%e0%a4%b2%e0%a4%be%e0%a4%b9%e0%a5%87%e0%a4%9c%e0%a4%be-%e0%a4%b8%e0%a4%be%e0%a4%b5%e0%a4%a7%e0%a4%be%e0%a4%a8/</guid>
<description><![CDATA[बा अदब, बा मुलाहेजा, सावधान ! બીજાની મા કે માતૃભાષા અાપણી મા કે માતૃભાષા કરતાં વધારે સારી લાગતી હોય]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">बा अदब, बा मुलाहेजा, सावधान !</p>
<p style="text-align:left;">બીજાની મા કે માતૃભાષા અાપણી મા કે માતૃભાષા કરતાં વધારે સારી લાગતી હોય તો પણ પોતાની માતૃભાષાનો અાદર કરવો જોઇએ, એ વાત ચર્ચાસ્પદ નથી. સંસ્કૃત સ્વર્ગની સીડી છે, હિંદીમાં અનુસ્વારો ઓછા છે, અંગ્રેજી પૈસા કમાવા માટે ખાસ કામની છે, ફ્રૅંચ ભાષા વધારે વરણાગી છે, એ બધી વાત સાચી હોય તો પણ એમાંથી એકે ય અાપણી માતૃભાષા નથી, એ વાત ક્યારે ય વિસરાવી ન જોઇએ.</p>
<p style="text-align:left;">ઉપદેશ અાપવાનો મારો જરા પણ ઇરાદો નથી, કેમ કે તમે જો અા વાત સાથે સહમત ન થતા હોત તો કદાચ તમે અહીં સુધી વાંચ્યું જ ન હોત. સવાલ એ છે કે ગુજરાતીનું સન્માન શી રીતે સાચવવું, તેને હાની થતી શી રીતે રોકવી, તેના વિકાસ માટે શું કરવું, વિશ્વની અન્ય ભાષાઓ સાથે તે ઊભી રહી શકે તેમ કેવી રીતે કરવું, ઇત્યાદિ.</p>
<ol>
<li>ગુજરાતી ભાષા બોલતી કે લખતી વખતે બીજી ભાષાઓના શબ્દો અનિવાર્ય હોય તો જ વાપરવા.</li>
<li>ક્રમશઃ એવા શબ્દોના ગુજરાતી પર્યાયો (સમાનાર્થ શબ્દો) જોડણીકોશમાંથી કે અન્યથા જાણી લેવા પ્રયત્ન કરવો. શક્ય હોય ત્યાં તે ગુજરાતી શબ્દો વાપરવા. અામાં અન્ય ભાષાઓના અાંધળા વિરોધનો સવાલ નથી, પણ તેમની અાંધળી અને નુકશાનકારક ગુલામીમાંથી નીકળવાની વાત છે.</li>
<li>&#8220;ટીવી, રેડીયો, ટેબલ&#8221;, વગેરેને યથાતથ વાપરી શકાય. &#8220;દૂરદર્શન&#8221; ભારતમાં વાપરવા યોગ્ય છે, ટેબલ માટે &#8220;મેજ&#8221; શબ્દ વાપરવાથી ગુજરાતી ભાષા વધારે સારી લાગશે એમ માનવાને કંઇ કારણ નથી.</li>
<li>વધારે પડતા સંસ્કૃત શબ્દો સમજાવ્યા વિના ન વાપરવા. સંસ્કૃત, અંગ્રેજી, અને બીજી ભાષાઓનાં અવતરણો ટાંક્યાં હોય તો કૌંસમાં તેનો ભાવાર્થ અવશ્ય અાપવો, જેમને તેની જરૂર ન લાગતી હોય તેમની ક્ષમાયાચના સાથે.</li>
<li>ગુજરાતી, ઉત્તર ભારતીય, અને વિદેશી વ્યક્તિઓ સાથે બની શકે ત્યાં સુધી બંનેને સમજાય તેવી અનુક્રમે ગુજરાતી, હિંદી, કે અંગ્રેજી ઇત્યાદિ ભાષામાં જ વ્યવહાર કરવા પ્રયત્ન કરવો. શરૂઅાતમાં શબ્દભંડોળ નાનું પડશે, પણ જેમ જેમ ભાષા વપરાતી જશે, તેમ તેમ વિસરાઇ ગયેલા શબ્દો પાછા સજીવન થશે.</li>
<li>બાળકોને અાપણી ભાષા નહીં જ અાવડતી હોય, કે પછી તેમનાં માબાપને ગુજરાતી અાવડતી જ હશે, તેમ માની ન લેતાં, તેમની સાથે યથોચિત ભાષામાં વાત કરવા પ્રયત્ન કરવો.</li>
<li>ગુજરાતીભાષી વ્યક્તિઓને ઇ-મેઇલ પણ, તેમને વાંધો ન હોય તો ગુજરાતીમાં જ લખવી. અાધુનિક કમ્પ્યૂટર ઉપર અા કામ ઘણી અાસાનીથી થઇ શકે તેવું છે. &#8220;અંગ્રેજીમાં ટાઇપ કરવાનાં જ જ્યાં ફાંફાં&#8221; હોય, ત્યાં તો અા વધારે ઇચ્છનીય છે, કારણ કે તેથી ગુજરાતી અને ટાઇપીંગ બંને સુધરી શકશે.</li>
<li>ઉપરના સર્વ મુદ્દાઓને હું અાજથી જ અમલમાં મૂકું છું. અા કોઇ ભીષ્મપ્રતિજ્ઞા નથી. પહેલા સાત નિયમો તો હું અામે ય પાળું છું. માત્ર અાઠમો નિયમ તેમાં ઉમેરું છું. યોગ્ય સમયે પ્રતિજ્ઞા લેવાથી તે પાળવાનું કામ સહેલું થઇ જાય છે.</li>
</ol>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[પ્રકાશન વ્યવસ્થાની સુધારણા]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/08/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0/</link>
<pubDate>Thu, 08 Oct 2009 17:04:49 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/08/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0/</guid>
<description><![CDATA[અાપણા એક જાણીતા કવિ અાપણા પ્રકાશકોને &#8220;અંધારકો&#8221;ના હુલામણા નામે ઓળખે છે. પ્રકાશન ગમે તેમ ત]]></description>
<content:encoded><![CDATA[<p>અાપણા એક જાણીતા કવિ અાપણા પ્રકાશકોને &#8220;અંધારકો&#8221;ના હુલામણા નામે ઓળખે છે. પ્રકાશન ગમે તેમ તો ય એક વ્યવસાય છે, તે બધા જ લેખકો, કવિઓ, તસવીરકારો, ચિત્રકારો, સંગીતકારો, એ સૌએ ધ્યાનમાં રાખવાનું છે. વર્તમાનપત્રો પણ જાહેરાતો વિના જનતાની સેવા નથી કરી શકતાં. દૂરદર્શનને પણ એ જ મુશ્કેલીઓ નડે છે. કોઇ પણ માધ્યમ અાપણી કૃતિ પ્રગટ કરે કે નહીં, તેની પાછળ મોટા ભાગે કોઇ અંગત રાગદ્વેષ હોતા નથી. કૃતિની ગુણવત્તા, સમાજના હિત માટેની તેની અગત્ય, ઇત્યાદિ સાથે તેને કશી જ નિસ્બત નથી. માત્ર એક જ સવાલનો જવાબ હકારમાં મળવો જોઇએ: તમારી કૃતિ પ્રકાશિત કરવાથી પ્રકાશકને નફો થશે ખરો? પ્રકાશકોમાં ગુણગ્રાહી વૃત્તિ, સમાજસેવાની અભિલાષા, સાહિત્ય અને કલાને ઉત્તેજન અાપવાની ભાવના, એ તેમને પરવડી શકે નહીં. તેથી ગણ્યાંગાંઠ્યાં જ પ્રકાશનગૃહો તે અાચરણમાં મૂકી શક્યાં છે.</p>
<p>વિદેશવાસી લેખકોએ તો ખાસ સાવધાન રહેવાની જરૂર છે. કેટલાક વ્યવસાયી પ્રકાશકો રૉયલ્ટીની વાત તો જવા દો, પણ ઉપરથી લેખક પાસેથી લાખેક જેટલા રૂપિયા માંગે છે. અાટલું સહન કરી લીધા પછી પણ જો લેખકની ફનાગીરીમાં ઓટ ન અાવી હોય તો તે હસ્તપ્રત મોકલી અાપે, અને પછી વર્ષો સુધી તેને ખબર જ ન પડે, કે તેનું શું થયું. પત્રવ્યવહાર કે ઇમેલથી સંપર્ક કરવો એ પણ દુઃખદ છે. અાપણા માત્ર પ્રકાશકો જ નહીં, અન્ય લોકો સાથે પણ મારો અનુભવ કંઇક વિસ્મયજનક છે. કોઇ પણ સવાલનો જવાબ, સામાન્ય રીતે, ક્યાં તો &#8220;હા&#8221;, કે પછી &#8220;ના&#8221;, કે &#8220;કદાચ (maybe)&#8221; હોવો જોઇએ. ગુજરાતમાં એક ચોથો વિકલ્પ પણ છે, જે મને બહુ મોડે મોડે સમજાયું. તેમાં હોઠ ફરફરતા દેખાય, માથું ઘડિયાળના લોલકની જેમ ડોલે, અાંખો ઉઘાડબંધ થાય, પછી બધૂં અદૃશ્ય થઇ જાય. પત્રમાં કે ઇમેલમાં વાંચતા હો તો અાખું પાનું ચાંચી ગયા પછી પણ જવાબ શું છે, તે તમને સમજાય જ નહીં.</p>
<p>મારું એક પુસ્તક ગુજરાત બહારના એક પ્રકાશક પાસે લગભગ એક વર્ષથી પડ્યું છે. સમાચાર મળતા રહે છે કે તેમને તે બહુ ગમ્યું પણ છે. તે છાપવા માટે વિચારે છે. શું વિચારે છે, શું મુશ્કેલી છે, મારાથી તે બાબતમાં કંઇ થઇ શકે તેમ છે કે નહીં, કશી જ મને ખબર નથી. મેં કહ્યું છે કે ન છપાય તેનો મને જરા હર્ષશોક નથી, કેમ કે તે પુસ્તક અમેરિકામાં છપાઇ ગયેલું છે, અને તેની ૬૦૦-૭૦૦ નકલો વેચાઇ પણ છે, અને amazon.com  ઉપર દર મહિને તેની ૨૦ જેટલી નકલો છેલ્લાં ત્રણ વર્ક્ષથી જાય છે. છતાં ય તેમના તરફથી કંઇ પ્રતિભાવ જ મળતો નથી.</p>
<p>હવે ટપાલ ખાતાએ &#8220;બૂક પોસ્ટ&#8221; અને &#8220;દરિયાઇ માર્ગે&#8221; બંને સવલતો રદ કરી છે. એટલે હવાઇ માર્ગે પુસ્તકો ભારતથી અમેરિકા મંગાવવાનો ખર્ચ કેડ ભાંગી નાખે તેટલો થાય છે. એક રસ્તો છે, ઇલેક્ટ્રોનિક પ્રકાશનનો. સામયિકો, લેખો, ચર્ચાઓ, ગીતો-તસવીરો-નિબંધોનાં સંકલનો, સભ્યોની યાદીઓ, અા બધું તો અાસાનીથી ઇન્ટરનેટ ઉપર મૂકી શકાય તેવું છે. ભારતમાંથી અમેરિકા અને અન્યત્ર, લવાજમથી સામયિકો મોકલાવાનો ખર્ચ બચાવવા મેં કેટલાક તંત્રીઓને અા ઉપાય સૂચવ્યો હતો, કે જે તેમણે અાનંદપૂર્વક અપનાવ્યો છે. સંસ્થાઓ પણ પોતાના અાગામી કાર્યક્રમોની જાહેરાતો, તેમાં કોણ કોણ અાવી શકનાર છે તેના પ્રત્યુત્તરો, તે કાર્યક્રમોની  ટિકીટોનું વિતરણ, અા બધાંને માટે ઇન્ટરનેટ જેવો સુગમ ઉપાય નથી.</p>
<p>નવોદિત અને પ્રતિષ્ઠિત બંને પ્રકારના લેખકોને પુસ્તક છપાવવાનો બીજો એક રસ્તો છે ખરો, કે જેનાથી મોટા ભાગના લેખકો વાકેફ નથી. તે છે, Print on Demand (POD) publishing. તેમાં પ્રકાશક તમારા પુસ્તકને એક કમ્પ્યુટર ફાઇલ તરીકે જ રહેવા દે છે. પુસ્તકનું અસ્તિત્વ જ નથી હોતું. જેમ જેમ જરૂર પડતી જાય, તે તેમ એક એક કરીને તેની નકલો છપાય છે. તમે જો કમ્પ્યુટર ફાઇલ જ મોકલો (PDF, or Portable Document Format), અને તેમની પોતાની તૈયાર ડિઝાઇન પસંદ કરો, તો $૫૦૦ જેવો પાયાનો ખર્ચ અાવે. ઓછી નકલો હોવાથી થોડું મોંઘું પડે, પણ ગરાજમાં પડી રહેલી ૨૦૦૦ નકલો, અને તેમાં સલવાયેલા હજારો ડૉલર્સ સામેં જોવું ન પડે. વિદેશી ભાષાઓમાં, એટલે કે ગુજરાતી, હિંદી, વગેરેમાં, પણ અા થઇ શકે છે. એક અગત્યની વાત. અા લોકો પણ &#8220;પ્રકાશકો&#8221; નથી જ, તેઓ માત્ર છાપકામ કરનારા છે. પુસ્તકો વેચવાનું કામ તો લેખકના માથે જ રહે છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી લેખન અને મુદ્રણ]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/10/04/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2/</link>
<pubDate>Mon, 05 Oct 2009 01:31:02 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/10/04/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%87%e0%aa%98%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2/</guid>
<description><![CDATA[શ્રી. મહેન્દ્ર મેઘાણીની લેખનપદ્ધતિ અાદરણીય મહેન્દ્રભાઇએ ગુજરાતી લખવામાં સરળતા કરવા માટે એક નવી રીત શ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">શ્રી. મહેન્દ્ર મેઘાણીની લેખનપદ્ધતિ</p>
<p>અાદરણીય મહેન્દ્રભાઇએ ગુજરાતી લખવામાં સરળતા કરવા માટે એક નવી રીત શરૂ કરી હતી, અને તેમનાં પ્રકાશનોમાં તે વાપરી પણ હતી. મારું તેના વિશેનું જ્ઞાન મર્યાદિત છે, તેથી શ્રી. મહેન્દ્રભાઇ કે અન્ય જાણકારો પ્રકાશ પાડશે, તો અાપણે તેના ઉપર વિચાર કરી શકીશું. મને ખ્યાલ છે ત્યાં સુધી તો મહેન્દ્રભાઇનાં પ્રકાશનોમાં પણ તેનો ઉપયોગ હમણાંથી નથી થતો.</p>
<p>ભાઇશ્રી. કિશોર રાવળે મને નીચેનો સંદેશો મોકલ્યો છે:</p>
<p>I attach a jpg file that describes Mahendrabhai&#8217;s method of writing Gujarati.<br />
I do not think he continues this any more but I remember seeing some books where he adopted<br />
this method<br />
For reference This is from મોટો કોશ by   રતિલાલ નાયક  page6 under સંપાદકનું નિવેદન Moto</p>
<p>Kishor.</p>
<p>&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;</p>
<p>તેની સાથે તેમણે એક પ્રતિકૃતિ પણ મોકલી છે, કે જે સૌને કામમાં અાવશે.</p>
<p><img class="aligncenter size-full wp-image-74" title="Meghani Lipi" src="http://bharatshah.files.wordpress.com/2009/10/meghani-lipi.jpg?w=450&#038;h=353" alt="Meghani Lipi" width="450" height="353" /></p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી શબ્દો અંગ્રેજીમાં લખવાની સાચી રીત]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/09/24/%e0%aa%ac%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b9%e0%ab%80-%e0%aa%95%e0%aa%b3%e0%aa%a4-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b9%e0%ab%80%e0%aa%82-%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87/</link>
<pubDate>Thu, 24 Sep 2009 17:05:18 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/09/24/%e0%aa%ac%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b9%e0%ab%80-%e0%aa%95%e0%aa%b3%e0%aa%a4-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b9%e0%ab%80%e0%aa%82-%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87/</guid>
<description><![CDATA[બા, માલા કાહી કળત નાહીં, તમે ગુજરાતી મધે જ બોલા! અમારા મકાનમાં, હાઉસમાં નહીં પણ માળામાં, મારાં બા અન]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">બા, માલા કાહી કળત નાહીં, તમે ગુજરાતી મધે જ બોલા!</p>
<p>અમારા મકાનમાં, હાઉસમાં નહીં પણ માળામાં, મારાં બા અને બીજી બહેનો જ્યારે ઘાટીઓને મરાઠીમાં કંઇ કહેવા માંડતી ત્યારે છેવટે વાત અહીં અાવીને જ ઉભી રહેતી કે &#8220;બા, મને કંઇ સમજાતું નથી, તમે ગુજરાતીમાં જ બોલો&#8221;! હવે તો ઇ-મેઇલ ગુજરાતીમાં લખી શકાય છે, તો પણ ઘણાં અંગ્રેજી લિપ્યાંતર વધારે પસંદ કરે છે. અર્થાત્ Teo gujarati shabdo inglishman lakhe chhe. ગીતો, શ્લોકો, ઇત્યાદિ માટે અંગ્રેજી વાપરવાની વિરુદ્ધ મેં અગાઉ અા બલૉગમાં લખ્યું છે, પણ ઇ-મેઇલ ન લખવી તે કરતાં લિપ્યાંતરનો અાશ્રય લેવો વધારે યોગ્ય છે. ઘણી વાર અાવી ઇ-મેઇલો વાંચવી અશક્ય હોય છે, કારણ કે અાપણી બારાખડી અંગ્રેજીમાં લખવાના સાદા નિયમોની પણ અવગણના કરાય છે.</p>
<p>૧. વાકયનો માત્ર પ્રથમ અક્ષર જ મોટો (પહેલી એબીસીડીમાં) લખવો. વચ્ચે બીજા બધા અક્ષરો એક સરખા જ લખવા.</p>
<p>૨.ગુજરાતીમાં અાપણે પ્રત્યેક અક્ષરમાં રહેલો &#8220;અ&#8221; લખતા નથી, જેમ કે રમણલાલ લખવું હોય તો Ramanlal જ લખવું, R.m.n.lal નહીં.</p>
<p>૩. &#8220;મી&#8221; (Me)નો ¨ઉચ્ચાર ઇ-કારાંત હોવા છતાં, ગુજરાતીમાં Eનો ઉચ્ચાર &#8220;એ&#8221; છે. ઇ માટે તો &#8220;ી&#8221; જ વાપરવો, E નહીં. &#8220;મામી&#8221; લખવું હોય તો Mami જ લખાય, Mame નહીં. Penke એ પિંકી છે, એ સમજતાં તો વર્ષો નીકળી જાય.</p>
<p>૪. &#8220;તથદધન&#8221; અને &#8220;ટઠડઢણ&#8221; અંગ્રેજીમાં જૂદા પાડવાનો સામાન્ય જનો માટે કોઇ રસ્તો મારા ધ્યાનમાં નથી. &#8220;ળ&#8221;ની મુશ્કેલી તો છે જ.</p>
<p>૫. &#8220;ઐ&#8221; માટે AI લખવાથી &#8220;અાઇ&#8221; થઇ જવાનો ભય રહે છે.</p>
<p>૬. AU નો ઉચ્ચાર &#8220;ઔ&#8221; કરવાનું અાપણને ગમે, પણ અૉટોમોબાઇલ બોલતાં અાપણે તેનો ઉચ્ચાર &#8220;અૉ&#8221; જ કરીએ છીએ.</p>
<p>૭.  UM કે UN નો ઉચ્ચાર &#8220;અમ્&#8221; કે &#8220;અન્&#8221; કરી શકાય, પણ એ થોડું ઘણું પણ અંગ્રેજી અાવડતું હોવાની, અને અાત્મવિશ્વાસના અભાવની ચાડી ખાય છે. AM અને AN વાપરવાનું સલાહકારક છે.</p>
<p>૮. કાકાને બદલે અંકલ શબ્દ વાપરવો હોય તો મૂળ શબ્દ  UNCLE  લખી શકાય. ANKAL ચાલી શકે, પણ ANKLE કે  ANCLE  તો ન જ ચાલે.</p>
<p>૯. &#8220;ક&#8221; માટે  K જ વાપરવો,  C નહીં. &#8220;ફ&#8221; માટે  F જ વાપરવો,  Ph નહીં. તે જ પ્રમાણે, ગુજરાતીમાં V અને Wના ઉચ્ચારમાં તફાવત નથી, તેથી તે બંને વપરાય છે, કે જે બિનજરૂરી વૈવિધ્ય પુરું પાડે છે. મારા મતે માત્ર V પર્યાપ્ત છે.</p>
<p>૧૦. અાપણો &#8220;ક્ષ&#8221; અને X (KS) સરખા નથી. ક્ષ માટે KSH વપરાય.</p>
<p>૧૧. &#8220;અ&#8221; માટે  A જ વાપરવો, E, U, નહીં. &#8220;&#8211;ER&#8221; as in Walker, Finder, etc.નો ઉચ્ચાર અંગ્રેજીમાં &#8220;અ&#8221; થાય છે, પણ ગુજરાતીમાં તેનો ઉચ્ચાર &#8220;એર&#8221; થાય છે. તેથી, શ્વેતામ્બર, કે દિગમ્બર માટે ShvetambEr કે DigambEr ન લખતાં  Shvetambar કે Digambar જ લખવું યોગ્ય છે.</p>
<p>૧૨. &#8220;અા&#8221; માટે નાનો &#8220;a&#8221; જ વાપરવો. Aa માત્ર &#8220;અા&#8221; માટે જ વાપરવું. બેવડા  aa ની જરૂર ક-જ્ઞ સુધી ક્યારેય નથી. Ka, Pa, Da, Za, બરોબર છે. ચોક્કસાઇ માટે બેવડા a ની જરૂર નથી. Kaa, Maa, વગેરે લખવાથી અર્થમાં કંઇ વૃદ્ધિ થતી નથી. ત્રણ  aaa વાપરવાની જરૂર તો ક્યારે ય નથી.</p>
<p>બીજાં સૂચનો મોકલવા અામંત્રણ છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રણકાર for 08 09 2009]]></title>
<link>http://egujarati.wordpress.com/2009/09/07/%e0%aa%b0%e0%aa%a3%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-for-08-09-2009/</link>
<pubDate>Mon, 07 Sep 2009 14:18:32 +0000</pubDate>
<dc:creator>sanjay v shah</dc:creator>
<guid>http://egujarati.wordpress.com/2009/09/07/%e0%aa%b0%e0%aa%a3%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-for-08-09-2009/</guid>
<description><![CDATA[રણકાર તમારે બધી તકલીફો એક ખિસ્સામાં રાખો પણ એ વાતનું પણ ધ્યાન રાખો કે એ ખિસ્સામાં એક કાણું પણ હોય. -]]></description>
<content:encoded><![CDATA[<p>રણકાર<br />
તમારે બધી તકલીફો એક ખિસ્સામાં રાખો પણ એ વાતનું પણ ધ્યાન રાખો કે એ ખિસ્સામાં એક કાણું પણ હોય.<br />
- રૉબર્ટ ફ્રૉસ્ટ<br />
જે માણસ એવું કહેતો હોય કે મારે તો જીવનમાં કોઈ તકલીફ નથી એ માણસ ખરેખર સાચો હોય ખરો? નવ્વાણું ટકા સાચો હોય પણ સોએ સો ટકા તો નહીં જ. તકલીફ મોટેભાગે જાગૄત અને સ્પષ્ટ હોય છે, દેખીતી અને ખૂંચતી હોય છે પણ અમુક તકલીફ સુષુપ્ત અને અણદીઠી પણ હોય છે. સુખી લાગતા માણસના મનમાં જે રહીસહી તકલીફો હોય છે એ આવી જ કંઈક, ઝટ દેખાય નહીં અને એટલે કાયમ પીડે નહીં. નસીબદાર જ ગણાય આવા લોકો કેમ કે ભગવાને એમને નિયમિત ઝંઝટથી મુક્તિ આપી છે. બાકીના લોકોની વાર્તા જરા અલગ છે. તકલીફ એમની આસપાસ સતત રાસડા લીધે રાખે છે. એટલી હદે કે આ તકલીફો એમને રોજબરોજનાં કામકાજ પણ નિંરાતે કરવા દેતી નથી. મગજ મારું બેટું તકલીફોના વિચારમાંથી બહાર આવે તો કંઈક કરી શકાય. એનો રસ્તો એક જ છે. તકલીફોને જીવનના આકાશ પર ઊડતા રહેવા દો. તકલીફોને કહી દો કે તારો ઈલાજ તો ત્યારે જ થશે જ્યારે તું મને કામ કરવા દઈશ, તારાથી છૂટકારો મેળવવા માટે નક્કર પગલાં લેવા દઈશ. અણગમતા સંજોગોમાં અણધાર્યાં કાર્ય પાર પાડનારને જ સુખ, સિદ્ધિ અને સમૄદ્ધિ મળે છે. સાધારણ સંજોગ માણસને સાધારણ બનાવી નાખે છે. ભગવાને તકલીફ આપી છે કેમ કે એ ઈચ્છે છે કે એમાંથી કશુંક અકલ્પનીય શીખી, પામીને મોટી છલાંગ ભરો, આગળ વધો. ઘેરાયેલો માણસ ચોક્કસપણે વધુ ઘડાય છે. જે રીતે દબાણથી દરેક વસ્તુમાં ઊર્જાનો જન્મ થાય છે એ રીતે દરેક તકલીફ માણસમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. ઊર્જાનો અનુભવ કરવા માટે તકલીફ પર નહીં, ત્રેવડ પર ધ્યાન કેન્દ્રિત કરો. આગળ વધો. જીતના હકદાર બનવાનો આનાથી સારો પર્યાય બીજો કોઈ નથી.<br />
- કલ્પના જોશી   </p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રણકાર for 07 09 2009]]></title>
<link>http://egujarati.wordpress.com/2009/09/07/%e0%aa%b0%e0%aa%a3%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-for-07-09-2009/</link>
<pubDate>Mon, 07 Sep 2009 14:10:15 +0000</pubDate>
<dc:creator>sanjay v shah</dc:creator>
<guid>http://egujarati.wordpress.com/2009/09/07/%e0%aa%b0%e0%aa%a3%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-for-07-09-2009/</guid>
<description><![CDATA[રણકાર બહુ જાણીતી એક વાત છે. દુનિયાની ઘણી ભાષામાં કહેવાયેલી છે. વાત છે, &#8220;દરેસ સફળ પુરુષની પાછળ]]></description>
<content:encoded><![CDATA[<p>રણકાર</p>
<p>બહુ જાણીતી એક વાત છે. દુનિયાની ઘણી ભાષામાં કહેવાયેલી છે. વાત છે, &#8220;દરેસ સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે.&#8221; સવાલ એ છે: સ્ત્રી શા માટે પાછળ જ હોય છે? શા માટે એવું નથી કહેવાતું કે દરેક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષ છે? અથવા કહો કે દરેક સફળતાની પાછળ સ્ત્રી અને પુરુષની સહિયારી મહેનત છે? એકબીજાનો સાથ છે? સ્ત્રીને એક ડગલું પાછળ જ રાખવાની, સ્ત્રીને પોતાના કરતાં જરાક ઓછી જ આંકવાની આદત પડી છે પુરુષને. પોતાની સમકક્ષ આવતી સ્ત્રી પણ પુરુષને ગમતી નથી અને પોતાનાથી આગળ હોય એવી સ્ત્રી તો કેવી રીતે ગમે પુરુષને? એટલે જ, વાત્સલ્ય મૂર્તિ ગણાતી મા ભલે દીકરા માટે સર્વસ્વ હોય પણ જીવનના એક તબક્કા પછી દીકરો માને ગણકારવાનું બંધ કરીને પોતાની મસ્તીમાં જીવતો થઈ જાય છે. પત્ની પ્રેમાળ હોય તો પણ મોટેભાગે લગ્નજીવનમાં ધીમે ધીમે એનું સ્થાન રસોડાની રાણીનું જ થઈ જાય છે. સ્ત્રીને ઓછી આંકવામાં આવે છે એટલે જ દુનિયા આટલી વિકસી છતાં કહેવામાં તો એ જ આવે છે કે હવે સ્ત્રી પુરુષસમોવડી થવા માંડી છે. સાંભળો, અટકો અને બદલાઈ જાવ હવે. સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો ભેદ જોવાનું બંધ કરી દો. આજની સ્ત્રી એ સ્ત્રી છે જે પરંપરાગત ફરજો તો નિભાવે છે જ સાથે એ સાધારણ વર્ગના ભારતીય પરિવારોને હાયર-મિડલ ક્લાસ સુધી પહોંચાડવા વ્યવસાય કરીને આવક પણ રળે છે. આજની સ્ત્રીને નવરાત્રિમાં માતાજીના ગરબા ગાતા પણ આવડે છે અને ઈન્ટરનૅટ સર્ફિંગ અને પ્રૉફૅશનલ ડિબૅટ પણ આવડે છે. આજની સ્ત્રી વિશ્વની ટૉપ કંપનીઓની સંચાલક પણ છે અને સોસયટીની સૅક્રેટરી પણ. પોતાનું ઘર, પોતાનું જીવન અને પોતાની છબિ મહાન કરવી હોય, જમાનાથી આગળ ચાલવું હોય તો સમજી લેવા જેવી છે આ વાત.  જેને સમજાશે એને સ્ત્રીની મહતાની અને સમાજમાં એના સાચા સ્થાનની ખબર પડશે. એ છે સાચી પ્રગતિ, એ છે સાચું સુખ. </p>
<p>- કલ્પના જોશી</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[કોઇને સંસ્કૃત ખપે છે ખરી?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/08/20/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%83%e0%aa%a4%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%83%e0%aa%bf%e0%aa%a4/</link>
<pubDate>Thu, 20 Aug 2009 19:08:28 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/08/20/%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%83%e0%aa%a4%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%83%e0%aa%bf%e0%aa%a4/</guid>
<description><![CDATA[સંસ્કૃતહીન સંસ્કૃિત &#8220;અાપણી સંસ્કૃિત મહાન છે, વેદો માનવજાતના પ્રથમ વિચારો છે, હિંદુ, જૈન, અને બ]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">સંસ્કૃતહીન સંસ્કૃિત</p>
<p>&#8220;અાપણી સંસ્કૃિત મહાન છે, વેદો માનવજાતના પ્રથમ વિચારો છે, હિંદુ, જૈન, અને બૌદ્ધ ધર્મનું જન્મસ્થાન ભારત છે&#8221;,  એ બધી ઘોષણાઓની સાથે જ એ પણ સંભળાય છે કે, &#8220;વેદો અમે વાંચ્યા નથી, ગીતા તો સંસ્કૃતમાં છે (વિશ્વની બધી જ ભાષાઓમાં તેની અાવૃત્તિ ઉપલબ્ધ છે), જૈન ધર્મ તો બહુ અઘરો છે, ઇત્યાદિ&#8221;.</p>
<p>સંસ્કૃત કોમ્પ્યૂટરની ભાષા બનવાની ક્ષમતા ધરાવે છે, તેનું અાપણને ગૌરવ છે, પણ રસ્તામાં &#8220;હરે ક્રીષ્ના&#8221; સંપ્રદાયવાળા મળી જાય તો તેમનું શુદ્ધ સંસ્કૃત સાંભળી, તે વિદેશીઓ સામે અાપણે નીચી મૂંડીએ ઉભા રહીએ છીએ. મારા પોતાના લખેલા સંસ્કૃત શીખવાના પુસ્તકની દર મહિને એમેઝોન.કોમ ઉપર ૨૦-૨૫ નકલો &#8220;મ્લેચ્છ&#8221; અમેરિકનો ખરીદે છે, ભારતીય પ્રજાને તેની અાવશ્યકતા નથી દેખાતી.</p>
<p>પણ અાપણે અહીં કોઇ ચૂંટણીપ્રચારની ઝૂંબેશમાં નથી ઉતર્યા, તેથી અાપણે સીધા જ સંસ્કૃતની અાવશ્યકતા ઉપર અાવીએ. હું કોઇ અાંધળી ભક્તિથી, કે ચોપડીઓ વેચવાના અાશયથી અા નથી લખતો. હકીકતમાં તો સંસ્કૃત શીખવા માટેનું પુસ્તક લખવા પાછળનું કારણ અા જ હતું, તેથી લખું છું.</p>
<p>&#8220;સ્વસ્તિ શ્રી. નગર મુંબાપુરી મધ્યે, રાજમાન રાજેશ્રી શ્રેષ્ઠીવર્ય શ્રી જુગલકિશોર અાચાર્યના ચરણકમળમાં સાદર..&#8221; થી અાપણા લગભગ અભણ વડીલો જૂના વખતમાં પત્રની શરૂઅાત કરતા હતા. એ વાક્ય શુદ્ધ સંસ્કૃતમાં છે, કે સંસ્કૃત અઘરું છે, એ બેમાંથી એકે ય મહાસત્યની તેમને ખબર ન હતી. મને કહેવા દો કે ગુજરાતી તથા અન્ય ભારતીય ભાષાઓના પતનનું એક કારણ છે સંસ્કૃતનું વિલીન થતું જતું અાપણું જ્ઞાન.</p>
<p>&#8220;અભિસારિકા&#8221; બધી ઘર ભેગી થઇ ગઇ, અને પછીથી તૈયાર થઇને બધી જ &#8220;ડેઇટ&#8221; ઉપર જવા માંડી. &#8220;પ્રાકૃતિક&#8221; શબ્દનો અર્થ ન અાવડે તે તો &#8220;નેચરલ&#8221; જ છે. ગુજરાત જો માત્ર &#8220;-પરિ, પ્ર-, ઉપ-, અાંતર-, અભિ-, અધિ-, -અાદિ&#8221; જેવા થોડા પૂર્વગો અને પ્રત્યયો (Prefixes &#38; Suffixes) ભૂલ્યું ન હોત તો પણ ગુજરાતીની અવદશા થોડી ઓછી થઇ હોત. અા વિસ્મૃતિએ ગુજરાતીના શબ્દભંડોળના મૂળમાં લૂણો લગાડ્યો છે.</p>
<p>અાપણી સંસ્કૃતમાં લખાયેલી પ્રાર્થનાઓ, મંત્રો, સુભાષિતો, રાગ-રાગિણીઓ, શાસ્ત્રો, મહાકાવ્યો, બધું જ હતું ન હતું થઇ ગયું. પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે અાપણે સંસ્કૃત ભણ્યા, અને ગંગામાં ડૂબકી મારીને કાંકરા લઇને અાપણે બહાર અાવ્યા. શીક્ષકોએ અાપણે જાણે કે પંડિત થઇને ગ્રંથો લખવાના હોઇએ, તે માટે જરૂરી સંસ્કૃત શીખવાડ્યું. પરિણામે અાપણે સંસ્કૃતની કન્વર્ટીબલ કારમાં સહેલગાહે જવાને બદલે તેના મિકેનીક થઇ ગયા, અને તે પણ અઘરું લાગતાં છોડીને ભાગી ગયા.</p>
<p>ટૂંકમાં, ગુજરાતીને બચાવવા માટે સંસ્કૃતને સાચવવાની જરૂર છે. અાપણાં ધર્મ, સાહિત્ય, વારસો, એ સૌને માટે તેની જરૂર છે. કોઇ વેવલાવેડા કે અાંધળી દેશભક્તિને લીધે નહીં.</p>
<p>નવા શબ્દો ત્રણ જગ્યાએથી અાવે છે: ૧. સંસ્કૃત ધાતુઓમાંથી, ૨. ગામડેથી, અને, ૩. નગરના ચોરે અને ચૌટેથી. પનાલાલ પટેલનાં ગામડાંની ભાષા વિસરાઇ ગઇ છે, મુંબઇ કે અમદાવાદમાં જૂના શબ્દોનું કબ્રસ્તાન છે, પણ નવા શબ્દોને જન્મ અાપવાની ક્ષમતા નથી. હવે જો સંસ્કૃતનો પણ અાપણે ત્યાગ કરીએ, તો પછી નવા ગુજરાતી શબ્દો માટે અંગ્રેજી ઉપર જ અાધાર રાખવો રહ્યો. વાંક અંગ્રેજો કે અંગ્રેજી કરતાં પણ વધારે તો અાપણા ગુલામ માનસનો છે. અાપણે પોતે જ એ હથોડો લાવીને ગુજરાતીના માથે માર્યો છે. ગુલામીના અાપણે એવા તો બંધાણી થઇ ગયા છીએ, કે અાઝાદીની મુક્ત હવામાં અાપણો જીવ ગભરાય છે.</p>
<p>અંગ્રેજીનું શું? મને તો અંગ્રેજી ગમે છે. હું ચાઇનીઝ અને જર્મન પણ થોડુંઘણું જાતમહેનતે શીખ્યો છું. થોડાઘણા ગ્રીક અને લેટિન શબ્દો પણ મેડિસીન શીખતાં ઓળખતો થયો હતો. દુનિયાની સર્વ ભાષાઓ શીખવાની હું તરફેણ કરું છું. પણ મારી માતૃભાષા તો ગુજરાતી સાળુ પહેરીને જે બોલાય તે જ.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુર્જર ગીરા પુરાણ, હાલ તુજ હાલ જ અાવાં !]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/08/19/%e0%aa%ad%e0%aa%a3%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%97%e0%aa%a3%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a4%e0%ab%87-%e0%aa%a6%e0%ab%80%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a8-%e0%aa%ad/</link>
<pubDate>Wed, 19 Aug 2009 18:03:58 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/08/19/%e0%aa%ad%e0%aa%a3%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%97%e0%aa%a3%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a4%e0%ab%87-%e0%aa%a6%e0%ab%80%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a8-%e0%aa%ad/</guid>
<description><![CDATA[ભણ્યોગણ્યો તે દીવો ધરે, ન ભણે તે નામું લખે ! મૂળ કહેવત અલબત્ત અાનાથી બરોબર ઊંધી છે. વેપારી ગુજરાતમાં]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">ભણ્યોગણ્યો તે દીવો ધરે, ન ભણે તે નામું લખે !</p>
<p>મૂળ કહેવત અલબત્ત અાનાથી બરોબર ઊંધી છે. વેપારી ગુજરાતમાં વાણિયાનો દીકરો ભણીગણીને શેઠ થઇને હિસાબકિતાબ સંભાળે, જ્યારે ઠોઠ નિશાળિયો તેના માટે દીવો ધરીને ઉભો રહે. અાજે અાપણો લક્ષ્મીભક્ત અાવેલા અને અાવનારા પૈસા ગણવામાં એટલો સમય વ્યતીત કરે છે, કે તેને વાંચવાનો અવકાશ જ નથી રહેતો. કોઇ રહ્યોસહ્યો સરસ્વતીનો સેવક જ્ઞાનનો પ્રકાશ ઝંખે છે, શોધે છે, અને બીજાંને તે અાપવા મથે છે. અાપણે ઉપનિષદોના બોધથી વિરુદ્ધ, ભણવાનું ભૂલીને જ્ઞાની તો ન થયા, પણ દલ્લો રળીને દરિદ્ર તો જરૂર થયા છીએ. અાપણને વિદ્યાની ભૂખ નથી, અને વૈભવવિલાસથી સંતોષ નથી. સંપત્તિ ચિંતા લાવે છે, જ્યારે વિદ્યા લાવે છે નિર્ભયતા. અાપણી સર્વક્ષેત્રી ભિરુતાનું કદાચ અા મૂળ છે. તે નહીં છેદીએ ત્યાં સુધી અાપણે સલામતી અનુભવી શકીએ તેમ નથી. એટલું જ નહીં, એ સલામતીની દાત્રીથી જ અાપણે દૂર ભાગીએ છીએ. How can we spread the Knowledge, if we dread it to begin with?</p>
<p>૧. વિદ્યાવ્યાસંગનો અા અભાવ, એ અાપણી પાયાની સમસ્યા છે. પૈસાનો અને સમયનો અભાવ નથી, પણ તેના બીજા વધારે સારા ઉપયોગો અાપણને હાથવગા છે.</p>
<p>૨. માતૃભાષાનું અાપણું જ્ઞાન ઉત્તરોત્તર ખવાતું જાય છે. અંગ્રેજીના અાક્રમણના બહાના તળે અાપણે તે ઢબૂરી રાખવા મથીએ છીએ. અાપણું અંગ્રેજી તો ધંધાદારી ક્ષેત્રની બહાર નહીંવત્ જ છે. ગુજરાતી ન વાંચતા કોઇને મેં અંગ્રેજી સાહિત્યમાં રસ લેતા જોયા નથી. તેથી ઉલટું, અંગ્રેજીમાં રસ લેનાર ગુજરાતીને મેં હમેશાં માતૃભાષામાં તેટલો જ રસ લેતા જોયા છે.</p>
<p>૩. અાપણું શબ્દભંડોળ (મને &#8220;ડોળ&#8221; ભાગ ગળે અટક્યો) માંડ ૫૦૦-૭૦૦ શબ્દોનું છે, તેથી અાપણને યોગ્ય શબ્દો યાદ અાવતા નથી. ગુજરાતમાં &#8220;સાહિત્ય&#8221; પરિષદ છે, &#8220;સાહિત્ય&#8221; સભા છે, &#8220;સાહિત્ય&#8221; અૅકેડેમી છે, જ્યારે મહારાષ્ટ્રમાં વાઙ્ગ્મય મંડળ છે. અમદાવાદમાં &#8220;અટીરા&#8221;ની ભૌતિક સંશોધન સંસ્થા તેના નામના પાટિયા ઉપર &#8220;રીસર્ચ&#8221;ના પર્યાય તરીકે, &#8220;અન્વેષણ&#8221; કે &#8220;સંશોધન&#8221;ને બદલે &#8220;અનુસંધાન&#8221; શબ્દ વાપરે છે, જે તાત્ત્વિક રીતે ક્ષમ્ય હોય તો પણ એ અર્થમાં વપરાતો જોવામાં અાવ્યો નથી.</p>
<p>૪. લેખકો લખે છે તે ક્યાં તો વાંચવા યોગ્ય નથી, કે વાચકોના ક્ષીણમાન શબ્દભંડોળની બહાર છે. વાચકોને જેમાં મગજને તકલીફ ન પડે તેવું વાંચવા જોઇએ છે, તે પોતાને વિદ્વાનમાં ખપાવવા મથતા લેખકોથી બની શકે તેમ નથી. સામયિકો, વર્તમાનપત્રોની સાપ્તાહિક પૂર્તિઓ તેમને ધર્મ, અારોગ્ય, વાસ્તુશાસ્ત્ર, અને માત્ર મનોરંજક (ફરીથી, &#8220;રંજક&#8221; ભાગ મને ખટક્યો) વેદોપનિષદની વાતો પિરસ્યા કરે છે. અાપણાં અખબારો, પ્રસારણ માધ્યમો, કાર્યક્રમો, ભજનો, બધું જ અાપણે ચલચિત્રોની દુનિયાને ધરી દીધું છે.</p>
<p>૫. અમદાવાદમાં ગુજરાતી પુસ્તકો વેચતા &#8220;બૂકશૅલફ&#8221; સ્ટોર કરતાં મહદ્ અંશે અંગ્રેજી પુસ્તકો વેચતા &#8220;ક્રૉસવર્ડ&#8221;માં અનેક ગણી ગ્રાહક સંખ્યા જોવા મળે છે. જે અંગ્રેજી ભણે તે નામું લખશે, તે સત્ય એક અદની ગૃહીણીને પણ અાત્મસાત્ છે.</p>
<p>૬. પ્રાદેશિકતામાં ન સરી પડીએ તો પણ, શાણા ગુજરાતીઓને એ કેમ નથી દેખાતું કે પહેલાં પરપ્રાંતીય લોકોને ગુજરાતમાં નોકરી કરવા માટે ગુજરાતી શીખ્યા વિના ચાલી શકે તેમ ન હતું. અાજે ગુજરાતમાં પરપ્રાંતીય વ્યક્તિ માટે નોકરી મેળવવાનું, તેના અંગ્રેજી ઉપરના વધારે સારા પ્રભુત્વથી, એક ગુજરાતી કરતાં પણ વધારે અાસાન થઇ ગયું છે.  અાપણે કમ સે કમ અા વાતનું તો ગૌરવ લઇ શકીએ તેમ છીએ. ભાષાવાર રાજ્યરચના પછી, માતૃભાષા ક્ષીણ થઇ જાય તે પશ્ચાત્ માતૃભૂમિમાં શું બાકી રહે?</p>
<p>હજુ તો અા યાદી ઘણી લાંબી થઇ શકે તેમ છે. માત્ર ચીલાચાલુ રીતે, ઉપરછલ્લી રીતે કારણો સ્વીકારી લેવાને બદલે, મૂળભૂત કારણો તરફ જવું વધારે અાવકાર્ય છે. અા મુદ્દા ઉપર વધારે મંતવ્યો મોકલવા અામંત્રણ છે.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શબ્દોની ઉત્પત્તિ (વ્યુત્પત્તિ)]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/08/18/%e0%aa%aa%e0%aa%be%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a4%e0%aa%b3%e0%aa%be%e0%aa%82/</link>
<pubDate>Tue, 18 Aug 2009 15:49:47 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/08/18/%e0%aa%aa%e0%aa%be%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a4%e0%aa%b3%e0%aa%be%e0%aa%82/</guid>
<description><![CDATA[પછી તો &#8220;પાતરાં&#8221; જ કહેવાય ને? અા સવાલ મને ઘણા વખતથી સતાવતો હતો. પાંદડાં શબ્દ &#8220;પત્ર]]></description>
<content:encoded><![CDATA[<div class="mceTemp mceIEcenter">
<dl class="wp-caption  aligncenter">
<dt class="wp-caption-dt"> </dt>
<dd class="wp-caption-dd">પછી તો &#8220;પાતરાં&#8221; જ કહેવાય ને?</dd>
<p><img class="size-medium wp-image-40" title="Why Pataran?" src="http://bharatshah.files.wordpress.com/2009/08/why-pataran.jpg?w=300&#038;h=198" alt="પછી તો &#34;પાતરાં&#34; જ કહેવાય ને?" width="300" height="198" /></p>
</dl>
</div>
<p>અા સવાલ મને ઘણા વખતથી સતાવતો હતો. પાંદડાં શબ્દ &#8220;પત્ર&#8221; કે પત્તેં ઉપરથી અાવે છે. પણ અડવીનાં પાનાંને &#8220;પાતરાં&#8217; કહેવાનું કારણ હું વિચાર્યા કરતો હતો. ઉત્તર ભારતમાં તે માત્ર &#8220;અડવી કે પત્તેં&#8221; જ કહેવાય છે. સાર્થ જોડણીકોશમાં તેની વ્યુત્પત્તિ પાત્ર સાથેનો સંબંધ બતાવે છે, પણ તે ગળે ઉતારવાનું સહેલું નથી. એક દિવસ બગીચામાં પાણી પાયા પછી અાંટા મારતાં મારતાં ઉપરનું દૃશ્ય મારી નજરે પડ્યું.</p>
<p>અલબત્ત, અાને &#8220;પાતરાં&#8221; સિવાય બીજું શું કહી શકાય? વરસાદ, ઝાકળ, કે પછી અાપણે પાયેલું પાણી પીવા માટે જાણે કે ખોબો ધરી રાખતાં અા પત્તાંને &#8220;પત્ર&#8221; કરતાં &#8220;પાત્ર&#8221; સાથે વધારે નજદીકનો સંબંધ છે. સેકડો વર્ષ પૂર્વે કદાચ કોઇ જૈન સાધુ કે શ્રાવક/શ્રાવિકાએ અા જૈન પારિભાષિક શબ્દ પ્રયોજ્યો હશે. એકાએક જ મારું, સેંકડો વર્ષ પહેલાંના ગુજરાતમાં થઇ ગયેલા એ અજાણ લેખક સાથે, કાળ અને દેશને અતિક્રમીને અનુસંધાન થઇ ગયું. એ અનુભૂતિના અાનંદનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. તેની તો તમારે કલ્પના જ કરવી રહી.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અાપણાં પ્રકાશિત પુસ્તકો: કેટલાં અને ક્યાં છે?]]></title>
<link>http://bharatshah.wordpress.com/2009/08/17/%e0%aa%85%e0%aa%be%e0%aa%aa%e0%aa%a3%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b3%e0%aa%b5%e0%aa%a3%e0%ab%80/</link>
<pubDate>Mon, 17 Aug 2009 17:17:44 +0000</pubDate>
<dc:creator>Bharat Shah</dc:creator>
<guid>http://bharatshah.wordpress.com/2009/08/17/%e0%aa%85%e0%aa%be%e0%aa%aa%e0%aa%a3%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b3%e0%aa%b5%e0%aa%a3%e0%ab%80/</guid>
<description><![CDATA[અાપણા વારસાની જાળવણી પુસ્તકો લખવાં અને છપાવવાં જો મુશ્કેલ છે, તો છપાયેલાં પુસ્તકો પણ થોડા વખત પછી મે]]></description>
<content:encoded><![CDATA[<p style="text-align:center;">અાપણા વારસાની જાળવણી</p>
<p>પુસ્તકો લખવાં અને છપાવવાં જો મુશ્કેલ છે, તો છપાયેલાં પુસ્તકો પણ થોડા વખત પછી મેળવવાનું તો અશક્યવત્ જ છે. એક તો ચોપડીઓ ખપે નહીં એટલે લેખકો અને પ્રકાશકો સાવ ઓછી નકલ છપાવે. બીજું, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ મહામહેનતે ગ્રંથો તૈયાર કરાવી ૨૦૦-૩૦૦ નકલો છપાવે, અને તેમના સભ્યોમાં કે સંઘમાં વહેંચે. કોઇને ત્યાં જોઇને તમને જો એ ગ્રંથ લેવાનું મન થાય, તો તમારા  યજમાન &#8220;તમે એ લઇ જાવ&#8221; કહે તેની જ રાહ જોવી રહી. બુકસેલરોને ત્યાંથી મળવાની તો અાશા જ નહીં, સિવાય કે તે જ વિક્રેતાએ બહાર પાડેલા પુસ્તકની શોધમાં તમે હો. અહીંના Barnes &#38; Noble જેવા સ્ટોર્સ નીકળ્યા છે ખરા, પણ સારાં પુસ્તકો, જૂના કાવ્યસંગ્રહો, સંસ્કૃત રચનાઓ, પુરાતન ગ્રંથો મળવા દુર્લભ છે, એટલું જ નહીં, એવું કોઇ પુસ્તક છપાયું છે કે કેમ, તે જાણવાનું પણ શક્ય નથી. પુસ્તકો ન ખપે તેનું અા પણ કારણ છે. અા તો જેને ખરીદીને વાંચવું છે, તેની વાત છે. જેને વાંચવું જ નથી, તેના વિષે ભવિષ્યમાં ક્યારેક.</p>
<p>અાવશ્યકતા બે ચીજોની છે. બંને અા સમયમાં અાસાનીથી થઇ શકે તેવી છે, જો સાહિત્ત્ય પરિષદ કે વિદ્યાપીઠ કે એવી કોઇ સંસ્થા, કે કોઇ ધર્માદા સંસ્થા અા કામ માથે લે. સરકાર પણ જોડાઇ શકે છે.</p>
<p>૧. અત્યારે છપાતાં, પહેલાં છપાયેલાં અને હજી મળી શકતાં હોય તેવાં પુસ્તકોની એક ઇલેક્ટ્રોનિક યાદી હોવી જોઇએ. પ્રકાશકો પોતે પણ તેમાં વિગતેા ભરી શકે તેવી સગવડ હોય તો કામ વધારે સરળ થાય. R. R. Bowker&#8217;s &#8220;Books in Print&#8221; અાનું ઉત્તમ દૃષ્ટાંત છે. તેની ભવિષ્યનાં પુસ્તકો માટેની અાવૃત્તિ પણ છે. અા યાદી છપાવવી ન હોય તો તે વેબ ઉપર પણ પ્રાપ્ય કરી શકાય.</p>
<p>૨. એક મધ્યસ્થ ગ્રંથાલય તો હોવું જ જોઇએ, કે જેમાં બહાર પડતા પ્રત્યેક પુસ્તકની એક એક નકલ તો હોય. દરેક પ્રકાશક અને /અથવા લેખક પાસેથી અાટલી અપેક્ષા તો રાખી જ શકાય. અામે ય મફતમાં પુસ્તકો સારાં એવાં જાય છે, તો અા તો એક જાતનું રોકાણ છે.</p>
<p>૩. અમેરિકામાં અને બીજે બધે, ભારત સહિત, એક દિવાલ વિનાના પુસ્તકાલયનું મારું સ્વપ્ન ઘણું જૂનું છે. અાપણને કોઇને ખબર જ નથી કે અાપણા મિત્ર કે પાડોશી પાસે કયાં પુસ્તકો છે. અરે, અાપણી પોતાની પાસે પણ કેટલાંય પુસ્તકો વંચાયા વગર, કે વંચાવાની કોઇ અાશા વગર કાયમી ધોરણે ભંડારાયેલાં પડ્યાં છે, તેમને સૂર્યનારાયણનાં દર્શન કરાવવાની જરૂર છે.</p>
<p>ઉપર ક્રમાંક ૧માં જણાવ્યા પ્રમાણે એક યાદી  (ડેટાબેઝ) તૈયાર કરવાનો છે. સૈા પોતપોતાને ત્યાંથી શરુઅાત કરે. મારે ત્યાં ગુજરાતી તથા ભારતને લગતાં લગભગ ૧૫૦૦ પુસ્તકો છે. કેટલાંકની તો એકથી વધારે નકલો છે. મારાં બધાં પુસ્તકોનો મોહ ન છૂટે તો પણ, સોએક જેટલાં તો હું ફાળવી શકું.  બીજા ૪૯ જણ જોડાય તો ૫૦૦૦ તો થઇ જાય. પુસ્તકો રહે તમારા કબાટમાં જ. અાની વિગતો અાગળ ઉપર ચર્ચીશું.</p>
<p>તમારા પ્રતિભાવો જણાવવા અામંત્રણ.</p>
]]></content:encoded>
</item>

</channel>
</rss>
