<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>gujarati-net-jagat &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://en.wordpress.com/tag/gujarati-net-jagat/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "gujarati-net-jagat"</description>
	<pubDate>Mon, 07 Dec 2009 11:41:17 +0000</pubDate>

	<generator>http://en.wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા]]></title>
<link>http://gujarat3.wordpress.com/2009/10/15/hansabahen-mehta/</link>
<pubDate>Thu, 15 Oct 2009 01:10:03 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2009/10/15/hansabahen-mehta/</guid>
<description><![CDATA[. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં.</p>
<p>ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં.</p>
<p>1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન મહેતાએ હિંદના બુલબુલ સરોજિની નાયડુ સાથે હિંદુસ્તાનના મહિલા પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના યુનાઇટેડ  નેશન્સ (યુનો) ખાતેના પ્રતિનિધિ તરીકે હંસાબહેન અમેરિકા ગયા. “અનુપમા”નાં વાચકમિત્રો જાણે છે કે બ્રિટીશ રાજમાં ડો. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા.</p>
<p>1949માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) ના ઉપકુલપતિપદે હંસાબહેન નિમાયાં. ટૂંકમાં, હંસાબહેન મહેતાએ ગુજરાતી મહિલા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર નામના પામી ગુજરાતને ગૌરવ બક્ષ્યું.</p>
<p>“અનુપમા”ના વાચક મિત્રો! આપ જાણો છો કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા “કરણઘેલો”ના લેખક નંદશંકર મહેતા હતા. હંસાબહેન ગુજરાતના પ્રથમ નવલકથાકાર અને સુરતનાં સમાજસુધારક નંદશંકર મહેતાના પુત્ર સર મનુભાઈ મહેતાનાં પુત્રી હતાં.<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 54]]></title>
<link>http://gujarat2.wordpress.com/2009/10/15/anamika54/</link>
<pubDate>Thu, 15 Oct 2009 00:10:18 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2009/10/15/anamika54/</guid>
<description><![CDATA[. પ્રિય અનામિકા,  આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મી]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p> આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા.</p>
<p> શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે પણ સંસાર ત્યજી માતાના આશ્રમમાં શરણ લીધું.</p>
<p>શ્રી કૃષ્ણપ્રેમના એક ખાસ અંગ્રેજ મિત્ર ડોકટર એલેક્ઝાંડર બાહોશ સર્જન હતાં. લખનૌના ખ્યાતનામ તબીબ હતા. શ્રી કૃષ્ણપ્રેમને પગલે. ડોકટર એલેક્ઝાંડર પણ સંન્યાસી બન્યા અને સ્વામી હરિદાસજી નામ ધારણ કરી યશોદામાના શિષ્ય બની ઉત્તર વૃંદાવન આશ્રમમાં સ્થાયી થયા. પાછળથી અન્ય એક અંગ્રેજ યુવાન પણ શ્રી કૃષ્ણપ્રેમથી પ્રભાવિત થયા; ઇંગ્લેંડ છોડી ભારત આવ્યા અને સ્વામી માધવ આશિષ નામ ધારણ કરી  મીરતોલા ઉત્તર વૃંદાવન આશ્રમમાં નિવાસી થયા. સૌના સહયોગથી મીરતોલા-અલમોડાનો ઉત્તર વૃંદાવન આશ્રમ હિંદુસ્તાન બહાર પણ નામના પામ્યો.</p>
<p>અનામિકા! યશોદા માએ  1944માં સમાધિ લીધી. તે પછી ટૂંક સમયમાં લલિતાજી અને સ્વામી હરિદાસજી પણ સ્વર્ગવાસી થયાં. 1965માં 67 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણપ્રેમ પણ સ્વર્ગે સિધાવ્યા. સ્વામી માધવ આશિષની નિશ્રામાં ઉત્તર વૃંદાવન આશ્રમની પ્રવૃત્તિઓ ફૂલીફાલી અને ભારત સરકારે 1992માં સ્વામી માધવ આશિષને પદ્મશ્રીના એવોર્ડથી સન્માન્યા. 1997માં સ્વામી માધવ આશિષ સ્વર્ગવાસ પામ્યા.</p>
<p>યશોદામા અને શ્રી કૃષ્ણપ્રેમના ભક્તિમાર્ગને તેમના ગુણાનુરાગી સહયાત્રી અને મહાયોગી મહર્ષિ અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય અને ઇંદિરાદેવીએ કેવી રીતે પ્રતિષ્ઠિત કર્યો તેની વાત પણ ક્યારેક આલેખીશું. . . . . . ..  સસ્નેહ આશીર્વાદ.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2009/10/15/infosys/</link>
<pubDate>Wed, 14 Oct 2009 23:20:45 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2009/10/15/infosys/</guid>
<description><![CDATA[. ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ.</p>
<p>ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ. આજે ‘ઇન્ફોસિસ’ એવો તો ઝડપી વિકાસ સાધી રહી છે. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ટોચની ત્રણ કંપનીઓ ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ – TCS ), ઇન્ફોસિસ (Infosys) તથા વિપ્રો (WIPRO)  છે.</p>
<p>નારાયણ મૂર્તિનો જન્મ 20 ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટક રાજ્યમાં થયો. તેમણે કાનપુર(ઉત્તરપ્રદેશ, ભારત) ના વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી – IIT ) માંથી એમ. ટેક. ની ડિગ્રી 1969માં મેળવી. સોફ્ટવેર એંજિનિયર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ વિવિધ સંસ્થાઓ / કંપનીઓમાં થયો. અમદાવાદ (ગુજરાત) ના  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ – IIM- A ) માં નારાયણ મૂર્તિએ ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે સેવાઓ આપી. પાછળથી તેમણે સોફ્ટવેર ટેકનોલોજીમાં દેશની જાણીતી કંપની પટણી કોમ્પ્યુટર્સ સિસ્ટમ્સ (પૂના, મહારાષ્ટ્ર)માં ઊંચી પદવી પર જોબ કરી.</p>
<p>પરંતુ નારાયણ મૂર્તિની જિંદગીનો એક મહત્વનો તબક્કો પેરિસ (ફ્રાન્સ) ખાતે યુરોપની મલ્ટીનેશનલ આઇટી કંપની ‘સેસા’ (SESA) ખાતે રહ્યો. એંશીના દાયકાના આરંભકાળે નારાયણ મૂર્તિ સામ્યવાદ (Communism) ના વિચારોથી પ્રભાવિત હતા. સામ્યવાદના સહારે સમાજના બહુવિધ વર્ગોનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હતા. ભારે આદર્શવાદી વિચારધારામાં રાચતા પચ્ચીસેક વર્ષના નારાયણ મૂર્તિ ત્યારના યુરોપના કટ્ટર સામ્યવાદી દેશ બલ્ગેરિયા (Bulgaria, Europe) માં ટ્રેઇનમાં પ્રવાસ કરી રહ્યા હતા કોઇ સહપ્રવાસી યુરોપિયન યુવતી સાથે ચર્ચા કરી રહ્યા હતા. વાતવાતમાં યુવતીએ સામ્યવાદી દેશોની દબાય્ર્લી પ્રજાઓની હાલાકીઓની નરી વાસ્તવિકતાઓ વર્ણવી. નારાયણ મૂર્તિ અકળાઈ ગયા અને તેમણે સામ્યવાદી સરકારની માનવ સ્વાતંત્ર્યને કચડતી નીતિઓની ટીકા કરી. બસ, થઇ રહ્યું! સામ્યવાદી દેશમાં તમે મોં કેમ ખોલી શકો? બલ્ગેરિયન પોલિસે તેમની ધરપકડ કરી અને નારાયણ મૂર્તિને ત્રણ-ચાર દિવસ દોઝખ જેવી પોલિસ કસ્ટડીમાં રહેવું પડ્યું !</p>
<p>નારાયણ મૂર્તિએ માનવીની અંગત વિચારધારાને કચડતા, માનવીના સ્વાતંત્ર્યને છીનવી લેતા સામ્યવાદનો મોહ છોડ્યો. તેમણે વિચાર્યું કે મૂડીવાદ (Capitalism) ના માર્ગ  પર ધંધા ઉદ્યોગના વિકાસથી પણ સમાજના વિકાસની તકો વધારી શકાય છે. નારાયણ મૂર્તિના મહાન સ્વપ્ન ‘ઇન્ફોસિસ’નાં બીજ ત્યારે રોપાયાં.<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ]]></title>
<link>http://gujarat4.wordpress.com/2009/09/20/amts/</link>
<pubDate>Sun, 20 Sep 2009 01:41:03 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat4.wordpress.com/2009/09/20/amts/</guid>
<description><![CDATA[. નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નાર]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા, તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય?</p>
<p>અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના બે બસ રૂટ મળેલા – લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14/બી નંબરની બસ; કાળુપુર સ્ટેશનથી સરદાર પટેલ કોલોની માટે 22 નંબરની બસ.</p>
<p>અમારા માટે – બાળકો માટે લાલ દરવાજા કે સ્ટેશન જવા માટેની બસ ટિકિટ માત્ર પાંચ પૈસાની! હકીકતમાં, એએમટીએસના કોઇ પણ રૂટ પર અમદાવાદ શહેરમાં માં ક્યાંય પણ મુસાફરી કરવા માટે બાળકોની ટિકિટ માત્ર પાંચ પૈસાની રહેતી.</p>
<p>એએમટીએસની બસોનો રંગ લાલ હતો; તેથી સૌ તે બસોને “લાલ બસ” તરીકે જ ઓળખતા. 14/બી નંબરની બસ લાલ દરવાજાથી મિરઝાપુર, રેંટિયાવાડી, દિલ્હી દરવાજા, શાહપુર, ગાંધી બ્રિજ, ઇંકમટેક્સ ઓફિસ થઈ હાલના સ્ટેડિયમ સર્કલ પાસેથી વળીને સરદાર પટેલ કોલોની જતી. ત્યારે હજી સરદાર પટેલ સ્ટેડિયમની જગ્યાએ ટેકરીઓ હતી; સરદાર સ્ટેડિયમના નિર્માણનો હજી માંડ આરંભ થયો હતો લાલ દરવાજા જવા માટે નહેરુ બ્રિજ પણ નહોતો બન્યો. થોડા સમય પછી એએમટીએસની બસ સર્વિસનો વ્યાપ વધ્યો. સરદાર પટેલ કોલોનીથી લાલ દરવાજા માટે 62 તથા સ્ટેશન માટે  66 નંબરના રૂટ બન્યા.</p>
<p>ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે તત્કાલીન અમદાવાદના ગૌરવ સમા નહેરુ બ્રિજનું ઉદઘાટન થયું અને અમને 63 નંબરનો લાલ દરવાજા વાયા નહેરુ બ્રિજનો રોયલ બસ રૂટ મળ્યો.<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 53]]></title>
<link>http://gujarat2.wordpress.com/2009/09/13/anamika53/</link>
<pubDate>Sun, 13 Sep 2009 00:01:03 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2009/09/13/anamika53/</guid>
<description><![CDATA[. પ્રિય અનામિકા,  ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>પ્રિય અનામિકા, </p>
<p>ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું?</p>
<p>સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર છોડી સંન્યાસ અપનાવ્યો.</p>
<p>અનામિકા! સંન્યસ્ત-દીક્ષા પછી ગુરુમા મોનિકાદેવી “શ્રી યશોદા મા” અને શિષ્ય રોનાલ્ડ નિકસન “શ્રી કૃષ્ણપ્રેમ”નાં નામે ઓળખાયાં. 1930માં તેમણે ઉત્તર ભારતમાં અલમોડા (હાલ ઉત્તરાંચલ) થી પચ્ચીસેક કિમી દૂર મીરતોલા ગામે “ઉત્તર વૃંદાવન આશ્રમ”ની સ્થાપના કરી. આશ્રમની સ્થાપનામાં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને તેમના મિત્રોનો સહયોગ મળ્યો. 1943માં મા આનંદમયીમાએ પણ ઉત્તર વૃંદાવન આશ્રમનું આતિથ્ય માણ્યું હતું.</p>
<p>તું અમેરિકાના વિખ્યાત દાર્શનિક ચિંતક ઇમર્સનનું નામ જાણે છે, અનામિકા? અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાડો ઈમર્સનનાં એક પુત્રી અલમોડા પાસે પોતાના ભારતીય પતિ શ્રી સેન સાથે રહેતાં. અમેરિકન ફિલોસોફર ઈમર્સનને ભારતીય તત્વચિંતન – ખાસ કરીને વેદ-વેદાંત અને અદ્વૈતવાદ &#8211; માં રસ હતો. અલમોડા-સ્થિત સેન દંપતિને શ્રી કૃષ્ણપ્રેમ પ્રતિ ભારે આસ્થા હતી.</p>
<p> “ઉત્તર વૃંદાવન આશ્રમ” વિશે થોડી વધુ વાતો આવતા પત્રમાં.. . . .   સસ્નેહ આશીર્વાદ.<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી]]></title>
<link>http://gujarat3.wordpress.com/2009/09/07/anandghanaji/</link>
<pubDate>Mon, 07 Sep 2009 01:05:23 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2009/09/07/anandghanaji/</guid>
<description><![CDATA[. અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, ક]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું-</p>
<p>રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી,</p>
<p>પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . &#8230;</p>
<p>વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે અંગે વાંચતાં તેનો સવિસ્તર અર્થ સમજાયો; ત્યારે જ તેના રચયિતા કવિ આનંદઘનજી વિશે પહેલી જાણકારી મળી.</p>
<p>મહાત્મા આનંદઘનજીનો જન્મ આશરે ચારસો વર્ષ અગાઉ ગુજરાતમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમ વિશે ઝાઝી માહિતી નથી. જૈન ધર્મની દીક્ષા લીધા પછી તેમણે ગુજરાત અને રાજસ્થાનમાં ભ્રમણ કર્યું અને અતિ કઠોર સાધુ જીવન વ્યતીત કર્યું. આનંદઘનજી માત્ર જૈન સાધુ નહીં, પ્રખર વિદ્વાન, સાહિત્યસર્જક અંને સિદ્ધ યોગી હતા. સર્વધર્મસમભાવ તેમનો આદર્શ હતો. તેમણે ઉત્તમ સાહિત્યકૃતિઓની રચના કરી. આનંદઘનજીનાં ભાવ અને ભક્તિથી નીતરતાં ગુજરાતી પદોને તો ભક્તકવિ મીરાંબાઇની રચનાઓ સાથે સરખાવાય છે.</p>
<p>મહાત્મા આનંદઘનજીએ પાછળનું જીવન મીરાંબાઇના રાજસ્થાનના મેડતામાં વીતાવ્યું અને 1670માં દેહત્યાગ કર્યો.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન]]></title>
<link>http://gujarat1.wordpress.com/2009/09/04/russia-czar/</link>
<pubDate>Thu, 03 Sep 2009 23:08:51 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2009/09/04/russia-czar/</guid>
<description><![CDATA[. ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ન]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.</p>
<p>રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો જેને કચડવામાં ઝાર નિકોલસને સફળતા મળી. પરંતુ રશિયન પ્રજાના પ્રચંડ વિરોધને વશ થઇ ઝાર નિકોલસ બીજાને 1917માં સત્તાત્યાગ કરવો પડ્યો. લોકપ્રિય મનાતા નવા શાસનકર્તાઓએ પ્રજાતંત્ર સ્થાપવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.</p>
<p>1917માં રશિયામાં લેનિનની સરદારી નીચે બોલ્શેવિક ક્રાંતિ થઈ જેમાં કેરેંસ્કીની સરકારને ઉથલાવવામાં આવી. 1918ની 17મી જુલાઇની રાત્રે ઝાર નિકોલસ બીજા, તેમનાં પત્ની, ચાર યુવાન પુત્રીઓ અને બાળ રાજકુમારને એક સાથે ઠાર મારવામાં આવ્યાં. આમ, રશિયામાં સમ્રાટ નિકોલસ બીજાના રાજકુટુંબની હત્યાથી ઝારશાહીનો અંત આવ્યો. રશિયન ક્રાંતિ (Russian Revolution) પછી રશિયામાં લેનિનના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકાર સત્તા પર આવી.</p>
<p>જો કે હમણાં સુધી રાજકુટુંબની હત્યા વિશે પ્રશ્નો ઊઠતા રહ્યા. કેટલાંક વર્ષ પહેલાં રાજકુટુંબના સભ્યોના કહેવાતા અવશેષો મળી આવ્યા. આધુનિક વિજ્ઞાનની મદદ લેવાઇ.  છેલ્લા બે વર્ષમાં અમેરિકા, યુકે અને રશિયાના વૈજ્ઞાનિકોએ ભારે જહેમત કરી. ડીએનએ (DNA) ટેસ્ટથી તે અવશેષો ઝાર નિકોલસ બીજાના રાજપરિવારના હોવાનું પુરવાર થયું. આધુનિક વિજ્ઞાનની કરામાતી પ્રગતિથી નેવું વર્ષ પછી રશિયન રાજકુટુંબની હત્યા પુરવાર થઈ શકી.</p>
<p>.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર]]></title>
<link>http://gujarat4.wordpress.com/2009/08/23/advertisements/</link>
<pubDate>Sun, 23 Aug 2009 01:32:42 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat4.wordpress.com/2009/08/23/advertisements/</guid>
<description><![CDATA[. બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે? નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જા]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે?</p>
<p>નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જાહેરાતો જોતાં રહેતાં; વાંચ્યાં કરતાં. કેટલીયે જાહેરાતો જાણે માનસપટ પર પ્રિંટ થઈ ગઈ છે. તેમાં નઠારી ગણાતી સિગારેટની જાહેરાતો ય છે.</p>
<p>બે જાહેરાતો કદી ભૂંસાઈ નથી – તાજ છાપ સિગારેટ અને પનામા સિગારેટ. અમદાવાદના રસ્તાઓ પર ફરતી તમામ એએમટીએસની બસો પર આ જાહેરાતો દેખાતી. “એક ઉત્તમ સિગારેટ”, “ઉમદા કશ”, “તાજગીનો અહેસાસ” કે “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” – આવા કોઇક શબ્દો તે જાહેરાતોમાં હતા તેવું યાદ રહ્યું છે.  શાળામાં કેટલાક નબીરા ચોક હાથમાં પકડી સિગારેટ પીવાનો ખેલ કરતા તે ખેલ કેવો ખતરનાક બની શકે છે તે હવે સમજાય છે. માતા-પિતા- કુટુંબના સંસ્કાર અને સારા વાચને અમને ભલા-બૂરાનો ભેદ શીખવ્યો છે અને બુરાઈઓથી બચી સન્માર્ગે ચાલવા પ્રેરણા આપી છે. પરંતુ આજે માર્કેટીંગ, એડવર્ટાઇઝિંગ અને સાયકોલોજીના ઢગલાબંધ કેસ ડિસ્કસ કર્યા પછી કુમળા બાલમાનસ પર જાહેરાતોની નઠારી અસરો વિશે લેશ માત્ર શંકા નથી.</p>
<p>એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના માંધાતાઓ આ સમજતા જ હશે ને? અને પછી ચતુરાઈથી હકીકતોને નજર-અંદાઝ પણ કરતા હશે ને?<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ટપાલ ટિકિટ, ફિલાટેલી અને ફિલિપ ફેરારી]]></title>
<link>http://gujarat1.wordpress.com/2009/08/17/postalstamps/</link>
<pubDate>Sun, 16 Aug 2009 22:59:43 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2009/08/17/postalstamps/</guid>
<description><![CDATA[.  આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>. </p>
<p>આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.</p>
<p>વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ છે તે દેશ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન એંન્ડ આયર્લેંડ) હતો.</p>
<p>1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ. દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયા (જે પાછળથી ક્વિન વિક્ટોરિયા તરીકે ઇંગ્લેંડનાં મહારાણી બની ગાદી પર આવ્યાં)નો ચહેરો અંકિત હતો. એક પેનીની કિંમતની પ્રિન્સેસ વિક્ટોરિયાની આ સ્ટેમ્પ બ્લેક રંગમાં છપાયેલી હોવાથી ‘પેની બ્લેક’ના નામથી જાણીતી થઈ. ત્યાર બાદ 1843માં બ્રાઝિલ, 1845-47 દરમ્યાન અમેરિકા (યુએસએ) તથા 1847માં ફ્રાંસમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.</p>
<p>ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી. આમ, ટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો.</p>
<p>ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો ટિકિટ સંગ્રહ બેનમૂન હતો અને આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી (1850-1917)નો જન્મ પેરિસ (ફ્રાંસ)માં, પણ પેરિસમાં રહેવા છતાં પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. કિશોર વયથી તેમણે ટિકિટ સંગ્રહ શરૂ કર્યો. થોડા  દાયકાઓમાં અગણિત દુર્લભ ટિકિટો સાથે તેમનો ટિકિટ સંગ્રહ અનોખો બની રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.</p>
<p>.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 52]]></title>
<link>http://gujarat2.wordpress.com/2009/08/05/anamika52/</link>
<pubDate>Tue, 04 Aug 2009 23:50:07 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2009/08/05/anamika52/</guid>
<description><![CDATA[.  પ્રિય અનામિકા,  તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>. </p>
<p>પ્રિય અનામિકા,</p>
<p> તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે.</p>
<p>મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી તરીકે ઓળખાતાં હતાં. આપણે 1920ના દાયકામાં જઇને ઇતિહાસ ખોલવો પડશે.</p>
<p>ઉત્તર પ્રદેશના લખનૌમાં 1920-21ના વર્ષમાં લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થઇ. લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીની નિમણૂક થઇ. ડો. ચક્રવર્તીનાં પત્ની મોનિકાદેવી પાશ્ચાત્ય ઢબછબથી પ્રભાવિત ફેશનેબલ નારી હતાં. બોબ્ડ હેર અને વિશિષ્ટ રીતે સાડી પહેરીને તે ક્લબ-મેળાવડા-સમારંભોમાં છાઈ રહેતાં. દર બે-ત્રણ વર્ષે એક વાર વિદેશયાત્રા કરનાર મોનિકાદેવી ધાણી ફૂટે તેમ અંગ્રેજી બોલતાં .આમ છતાં તેમના હૃદયમાં તો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રતિ ભરપૂર આસ્થા હતી અને તે નિયમિતપણે પૂજાપાઠ પણ કરતાં.</p>
<p>અનામિકા! ડો. ચક્રવર્તી દંપતીને થિયોસોફીમાં રસ હતો. વારાણસીના ગંગાકિનારે તેમના મહાલયમાં ફિલોસોફી, અધ્યાત્મવાદ, ધર્મ, શિક્ષણ, કલા, સંગીત આદિ ક્ષેત્રોના વિદ્વાનોની બેઠક થતી અને વિવિધ વિષયો પર વિચારવિનિમય થતો રહેતો.. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ત્રેવીસેક વર્ષના યુવાન બ્રિટીશ &#8211; સ્કોટીશ પ્રોફેસર રોનાલ્ડ નિકસન જોડાયા. તને નવાઇ લાગશે, અનામિકા! રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ (1914 &#8211; 1918) સમયે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સના પાયલોટ રહી ચૂક્યા હતા તથા મશહૂર કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. નિકસનને કઈ ઝંખના હિંદુસ્તાન ખેંચી લાવી?  નિકસનને ભારતીય દર્શન અને અધ્યાત્મમાં રુચિ હતી. નવયુવાન અંગ્રેજ પ્રોફેસર નિકસન સ્વાભાવિક રીતે ડો. ચક્રવર્તી દંપતી પ્રતિ આકર્ષાયા.</p>
<p>એક દિવસ ડો. ચક્રવર્તીને ત્યાં બૌદ્ધિકોની હાજરીમાં નિકસને પોતાના જીવનમાં બનેલ એક ચમત્કારિક ઘટનાનું ભાવવાહી વર્ણન કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇંગ્લેંડની વાયુસેનાએ જર્મન પ્રદેશો પર હવાઈ હુમલા આદરેલા. ઘટનાના દિવસે રોયલ એર ફોર્સના બોમ્બર પ્લેનના પાયલોટ તરીકે નિકસન ડ્યુટી પર હતા. એક હવાઇ હુમલામાં પોતાના બોમ્બર પ્લેનમાં રહેલા નિકસનની નજર પોતાની જમણી તરફ ઊડી રહેલ વિમાનોના એક કાફલા પર પડી. દોડાદોડીની ટેન્શન ભરી ક્ષણોમાં નિકસન તેને પોતાનો સાથી કાફલો સમજી પોતાના પ્લેનને તે કાફલા તરફ વાળવા લાગ્યા. કોઇ એક ‘અદ્રશ્ય શક્તિ’એ  તેમના કાંડાને પકડી લીધું. નિકસન જોર કરી ફરી પોતાના પ્લેનને જમણી તરફ વાળવા ગયા તો ‘અદ્રશ્ય શક્તિ’એ ભારે તાકાતથી તેમના પ્લેનને ડાબી દિશામાં વાળી દીધું! પાછળથી તેમના  સાથીદારોએ નિકસનને સમજાવ્યું કે જે તરફ તેઓ પહેલાં વળી રહ્યા હતા, તે જમણી બાજુ તો દુશ્મન વિમાનોનો કાફલો હતો !!! ત્યારે નિકસનને સ્પષ્ટ થયું કે કોઇ અગમ્ય ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના પ્લેનને દુશ્મનના કાફલાથી દૂર રાખી તેમને મોતના મોઢામાંથી બચાવ્યા હતા. બસ, ત્યારથી નિકસનને ફિલોસોફી અને થિયોસોફીમાં વિશેષ ઉત્સુકતા જાગી. અધ્યાત્મનો ઝોક પ્રબળ બન્યો ત્યારે રોનાલ્ડ નિકસન ભારત ખેંચાઈ આવ્યા. આ પત્રને અહીં અટકાવું,, અનામિકા! ત્યાર પછીની વાત આવતા પત્રમાં &#8230;.</p>
<p>સસ્નેહ આશીર્વાદ.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ]]></title>
<link>http://gujarat3.wordpress.com/2009/08/04/quitindia-khadiya/</link>
<pubDate>Tue, 04 Aug 2009 00:56:24 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2009/08/04/quitindia-khadiya/</guid>
<description><![CDATA[. હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા!</p>
<p>આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન.</p>
<p>1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન) પર મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની નિશ્રામાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી. મહાત્મા ગાંધીએ 1942ના 8મી ઓગસ્ટે મધ્યરાત્રિએ મુંબઈની આ બેઠકમાં અંગ્રેજ હકુમતને આખરીનામું આપ્યું – “ક્વિટ ઇન્ડિયા!” ગાંધીજીના આ વિદ્રોહી એલાનથી બ્રિટીશ સરકાર ચોંકી ગઈ. ભારતના આખરી સ્વાધીનતા સંગ્રામે એવી ગતિ પકડી કે અંગ્રેજી રાજ્યના પાયા હચમચી ઊઠ્યા.</p>
<p>1942ના આઠમી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીએ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી હિંદુસ્તાનને મુક્ત કરવા હિંદ છોડો આંદોલન આરંભ્યું; તરત જ અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત તમામ કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. હવે જનતા સ્વયં આંદોલન ચલાવવા તૈયાર હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત પૂર્ણ રીતે સજ્જ હતું.</p>
<p>અમદાવાદ અને તેમાં યે ખાડિયાના રંગની તો વાત જ શી કરવી! હિંદુસ્તાનને આઝાદ જોવા ઝંખતા અમદાવાદની ઉત્તેજના અમાપ હતી; તેમાં પણ ખાડિયાનું જોશ તો અનોખું હતું. તત્કાલીન યુવા નેતાઓ જયંતી ઠાકોર (શહેર સૂબા જયાનંદ), વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ તેમજ અનેક કાર્યકરોએ અગાઉથી આયોજન કરેલું તે અનુસાર બીજે જ દિવસે અમદાવાદમાં પ્રચંડ પડઘા પડ્યા.</p>
<p>નવમી ઓગસ્ટ (ઓગસ્ટ 9, 1942) ના રોજ ખાડિયા રાયપુર વિસ્તારમાં લોકો રસ્તા પર આવી ગયા. જયંતી ઠાકોર મુંબઈ ગયા હોવાથી તેમની ગેરહાજરીમાં વિષ્ણુ દવે અને બાબુ રાણાએ ખાડિયા પોલિસ ચોકી પાસે હિંદ છોડો આંદોલનનો ગુજરાતમાં પ્રથમ રણ ઘોષ કર્યો. વિશાળ સરઘસના “અંગ્રેજો ચાલ્યા જાવ” તથા “ઇંકિલાબ ઝિંદાબાદ”ના નારા ગુંજી ઊઠ્યા. ખાડિયા પોલિસચોકીથી રાયપુર ચકલાના વિસ્તારમાં માનવમહેરામણ ઉમટી પડ્યો. પોલિસ દમન શરૂ થયું.</p>
<p>સાંજે જેઠાભાઇની પોળના નાકે પોલિસ ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહિદ થયા.</p>
<p>1942ના હિંદ છોડો આંદોલન &#8211; ક્વિટ ઇંડિયા મુવમેંટના ગુજરાતના પહેલા શહિદ તે ઉમાકાંત કડિયા. અમદાવાદના ખાડિયાના નવમી ઓગસ્ટના સરઘસ &#8211; આંદોલનના સમાચાર માત્ર ભારતનાં જ નહીં, ઇંગ્લેંડના પ્રચારમાધ્યમોમાં પણ ચર્ચા પામ્યા. હિંદુસ્તાનની આઝાદીની લડતના ઇતિહાસમાં ગુજરાત, અમદાવાદ અને ખાડિયાના યોગદાનની ઘણી કહાણીઓ છે.</p>
<p>.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[શાળાની પ્રાર્થનાસભા]]></title>
<link>http://gujarat4.wordpress.com/2009/01/11/school-prayer/</link>
<pubDate>Sun, 11 Jan 2009 01:23:22 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat4.wordpress.com/2009/01/11/school-prayer/</guid>
<description><![CDATA[. શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે. ગ્રાઉન્ડફ્લોર પર, કંપાઉંડમાં શાળાના મકાનને અડ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે.</p>
<p>ગ્રાઉન્ડફ્લોર પર, કંપાઉંડમાં શાળાના મકાનને અડીને ઓપન-એર છતાં ઉપરથી કવર્ડ એવું પ્રાર્થનામંદિર હતું. રોજ સવારે પ્રાર્થનાસભાથી શાળાના કાર્યનો આરંભ થતો.</p>
<p>સામાન્ય રીતે આટલો રોજિંદો કાર્યક્રમ &#8211; પ્રાર્થના, એક-બે ગીત કે ભજન, આચાર્યશ્રી દિનુભાઈ સાહેબ દ્વારા સમાચાર/જાહેરાત અથવા પ્રાસંગિક પ્રવચન અને છેલ્લે મૌન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય પ્રાર્થના “સત્ય અહિંસા ચોરી ન કરવી . . .” અમને પણ ખૂબ ગમતી. ભગવદ ગીતાના બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો પરના કેટલાક શ્લોકોનો ગુજરાતી અનુવાદ ત્યારે અડધો-પડધો સમજાતો; યુવાન વયે તે સમજાયો ત્યારથી તે શ્લોકો હૃદયસોંસરવા ઉતરી ગયા છે – “સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ..” </p>
<p>સંગીત શિક્ષક કેશુભાઈ પરમાર સાહેબ સુંદર ગીતો ગાતાં અને ગવડાવતાં- ‘વન વન આંકો નૂતન કેડી’, ‘તું તારા દિલનો દીવો થાને’થી માંડી કબીર સાહેબનાં ભજન ‘ભેદ ન જાને કોય; સાહેબ તેરો ભેદ ન જાને કોય’ હૃદયપટ પર અંકિત છે. ક્યારેક પ્રાર્થના સભામાં વિશેષ દિવસો પર વિશેષ ભાવના ગીતો ગવાતાં જેમકે દેશભક્તિનાં ગીતો. કદી કદી નાટક આદિ પ્રવૃત્તિ થતી.</p>
<p>વર્ષમાં બે-ત્રણ વખત વિવિધ ક્ષેત્રના સુપ્રતિષ્ઠિત આગેવાનોને પણ આમંત્રણ અપાતાં. યાદ રહેલાં કેટલાંક મહાનુભાવોમાં રવિશંકર મહારાજ તથા કનુ દેસાઈ સ્પષ્ટ યાદ છે.</p>
<p>રવિશંકર મહારાજનું આડંબરવિહોણું સરળ વ્યક્તિત્વ તેમજ તદ્દન સાદા શબ્દો અને તળપદી બોલીમાંથી ટપકતી નિખાલસતા કદી નહીં ભૂલાય. જૈફ વયે પહોંચેલા કનુ દેસાઈએ એવી તો સ્ફૂર્તિથી ચિત્રો આલેખ્યાં હતાં કે અમે જોતાં જ રહી ગયેલાં! શાળાની પ્રાર્થના સભાની સુવાસ આજે અંતરે છલકાય છે.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 51]]></title>
<link>http://gujarat2.wordpress.com/2009/01/10/anamika51/</link>
<pubDate>Fri, 09 Jan 2009 23:36:46 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2009/01/10/anamika51/</guid>
<description><![CDATA[  . પ્રિય અનામિકા,  અમેરિકાના પ્રમુખપદે નિયુક્તિ પામેલ પ્રેસિડેન્ટ ઓબામાના કુટુંબીજનોના આફ્રિકન મૂળ ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p> </p>
<p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p> અમેરિકાના પ્રમુખપદે નિયુક્તિ પામેલ પ્રેસિડેન્ટ ઓબામાના કુટુંબીજનોના આફ્રિકન મૂળ વિશે તારા મિત્રોએ પ્રયત્નો આદર્યાં છે તે વાત જાણી. અશ્વેત અમેરિકન પ્રમુખ ઓબામા તથા મિસિસ ઓબામાના પૂર્વજોના આફ્રિકા સાથેના સંબંધોની ઘણી વાતો બહાર આવશે. </p>
<p>તું જાણે છે ને, અનામિકા! નરી પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો હતો આફ્રિકા ખંડ. યુરોપના દેશોની નજરે ચડ્યો અને આફ્રિકાના અંધારા ખંડનો ઇતિહાસ પલટાતો ગયો. યુરોપની પ્રજાઓએ સ્વાર્થ સાધવા આફ્રિકાને પોતીકો કરવા કોઇ કસર નથી છોડી. જાણ્યા-અજાણ્યા વિદેશીઓના ભલા-બૂરા હેતુઓથી આફ્રિકામાં નવી કેડીઓ કંડારાતી ગઈ.</p>
<p>આફ્રિકાની વાત કરતાં જ આપણને આલ્બર્ટ શ્વાઈટ્ઝર, લિવિંગ્સ્ટન, સ્ટેન્લી અને સેસિલ રહોડ્ઝની યાદ અચૂક આવે. પરંતુ આફ્રિકાના અંધારા ઇતિહાસમાં ઉજાસ પાથરનાર કેટલાક નાનાં-મોટાં પ્રવાસીઓ તદ્દન જાણબહાર રહી જાય! જો કે આફ્રિકા સાથે જોડાયેલ ઘણા વિદેશીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે વિવાદો ઊઠતાં રહ્યા છે. આમ છતાં, એક નામ મને યાદ આવે છે મેરી કિંગ્સલેનું. માત્ર 38 વર્ષના જીવનમાં આ સાહસિક પ્રવાસી-શોધક બ્રિટીશ મહિલાએ આફ્રિકાના ઘણા ભેદ ખોલી નાખ્યા.</p>
<p> ઓક્ટોબર 13, 1862ના રોજ લંડન (ઇંગ્લેન્ડ) માં મેરીનો જન્મ. પિતાની લાયબ્રેરીનાં પુસ્તકોએ મેરીમાં આફ્રિકા વિશે કુતૂહલ જગાડ્યું. ત્રીસેક વર્ષનાં મેરી પશ્ચિમ આફ્રિકા પહોંચ્યાં. અનામિકા! હિંમત તો જો મેરીની! ઘનઘોર જંગલોમાં આફ્રિકન લોકો વચ્ચે રહ્યાં; તેમનાં રીત-રિવાજો અને રહેણીકરણીનો તેમણે ગહન અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડ પરત ફરી મેરીએ બ્રિટીશ પ્રજાને આફ્રિકાની આદિ જાતિઓની સંસ્કૃતિ વિશે જાણકારી આપી. 1895માં તેમણે ફરી આફ્રિકા ખંડના અલ્પ-ખેડાયેલા અંતરિયાળ પ્રદેશોની મુસાફરી કરી. પશ્ચિમ મધ્ય આફ્રિકાની બારસો કિમી લાંબી ઓગુ (ઓગોવે ) નદીમાં તેમણે નાનકડી હોડી (canoe) માં પ્રવાસ કર્યો.</p>
<p> તું કદાચ જાણતી હોઇશ, અનામિકા, કે પશ્ચિમ આફ્રિકામાં આશરે સાડા તેર હજાર ફૂટ ઊંચો માઉન્ટ કેમેરૂન જ્વાળામુખી પર્વત અને કપરાં સીધાં ચઢાણ માટે જાણીતો છે, માઉન્ટ કેમેરૂન પર મેરીએ દુર્ગમ અને અજાણ રસ્તે આરોહણ કરવાનું સાહસ કર્યું. સ્વદેશ પાછા ફરતાં ઇંગ્લેન્ડમાં ઠેર ઠેર તેમનાં પ્રવચનો ગોઠવાયાં. મેરીએ આફ્રિકા અને આફ્રિકન પ્રજાતિઓ વિશે યુરોપિયન લોકોનાં મંતવ્યો બદલવા ભારે પુરૂષાર્થ કર્યો. આફ્રિકા અને આફ્રિકન પ્રજાઓ વિશે મેરીનાં બે પુસ્તકો ભારે આવકાર પામ્યાં. દ્વિતીય બોર યુદ્ધ સમયે નર્સ તરીકે મેરીએ બોર (બોઅર Boer ) લોકોની સેવા કરી. દક્ષિણ આફ્રિકામા કેપ ટાઉન પાસે સાઇમન્સ ટાઉન (સિમોન્સ ટાઉન) નો પ્રસિદ્ધ નેવલ બેઝ છે. ઇસ 1900માં સાઇમન્સ ટાઉન (સિમોન્સ ટાઉન)માં માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે મેરી કિંગ્સલે અવસાન પામ્યાં. તેમની ઇચ્છા અનુસાર તેમના મૃતદેહને સન્માનપૂર્વક દરિયામાં પધરાવવામાં આવ્યો.</p>
<p> અનામિકા! કેટલાક વિરલા જીવનસફરનો અનોખો મકસદ શોધી લે છે. મેરી કિંગ્સલે એક વિરલ મહિલા હતાં.</p>
<p>સસ્નેહ આશીર્વાદ.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વ્હાઈટ હાઉસ અને અમેરિકાના પ્રેસિડેન્ટ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2009/01/10/whitehouse/</link>
<pubDate>Fri, 09 Jan 2009 22:40:53 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2009/01/10/whitehouse/</guid>
<description><![CDATA[  પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p><strong></strong></p>
<p> </p>
<p>પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયા પછી વ્હાઇટ હાઉસ સમાચારોમાં ચમકતું રહે છે.</p>
<p>યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના પ્રમુખ (અમેરિકન પ્રેસિડેન્ટ – The President : United States of America )નું સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ કહેવાય છે. વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C.,  USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પોટોમેક નદીને કાંઠે વસેલા વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે. વોશિંગ્ટન (ડીસી)માં વ્હાઇટ હાઉસના નિર્માણનો શ્રેય પ્રથમ યુ એસ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન (George Washington 1732 – 1799) ને જાય છે. અમેરિકન લોકશાહીના પ્રતીક સમા આ  નિવાસસ્થાનનું ખાતમુહૂર્ત 13 ઓક્ટોબર, 1792ના રોજ થયું.</p>
<p>આઠ વર્ષે તૈયાર થયેલ વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રથમ પ્રેસિડેન્ટ જહોન એડમ્સ (દ્વિતીય અમેરિકન પ્રમુખ) હતા. 1879માં વ્હાઇટ હાઉસમાં ટેલિફોન આવ્યો. નેવું વર્ષ સુધી અંધારામાં રહેલ વ્હાઇટ હાઉસ 1891માં ઇલેક્ટ્રિક પાવરથી પ્રકાશિત થયું ત્યારે અમેરિકાના ત્રેવીસમા પ્રમુખ બેંજામિન હેરિસન ત્યાં નિવાસિત હતા. પ્રમુખ હેરિસન અને તેમનાં પત્ની ઇલેક્ટ્રિક શોકથી ડરીને સ્વીચને હાથ પણ ન લગાડતાં !!</p>
<p>132 રૂમના આ ભવ્ય મહાલયમાં ‘બ્લ્યુ રૂમ’નું મહત્વ અનોખું છે, જ્યાં પ્રમુખ વીઆઇપી મુલાકાતીઓને આવકારે છે. અશ્વેત નેતા પ્રેસિડેંટ ઓબામા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ના પ્રમુખ તરીકે ચુંટાયા પછી વિશ્વની આશાભરી મીટ વ્હાઇટ હાઉસ પર છે.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત પટેલ]]></title>
<link>http://gujarat3.wordpress.com/2009/01/06/bhavai/</link>
<pubDate>Tue, 06 Jan 2009 00:45:06 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2009/01/06/bhavai/</guid>
<description><![CDATA[. ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખન]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.</p>
<p> વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર ચઢાઈ કરી. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેર તેણે તાબે કર્યું. સિદ્ધપુરનો એક મોવડી હેમાળા પટેલ અને તેને એક સૌંદર્યવતી  યુવાન દીકરી ગંગા.</p>
<p>ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું. ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો. કથાકાર તરીકે અસાઈત ઠાકરની નામના હતી. તેમણે સરદારના કાને વાત મૂકી કે ગંગા મારી પુત્રી છે. “અનુપમા”ના વાચકમિત્રો! આપ કલ્પી શકશો આભડછેટનો તે જમાનો? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે. એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવવા અસાઈતે ગંગા સાથે ભોજન કર્યું. ગંગા તો બચી ગઈ, પરંતુ  ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો. અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું. અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા. હેમાળા પટેલ અને સમસ્ત કડવા પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી. કહે છે કે ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા.</p>
<p>અસાઈત ઠાકરને સાહિત્ય અને સંગીતનો છંદ. સુંદર સંગીતકથા કરી જાણે. તેમણે લોકભોગ્ય ભાષામાં લાંબા–ટૂંકા ‘વેશ’ લખવા શરૂ કર્યા. પોતાના જ લખેલા અને લોકરુચિને અનુરૂપ સંગીતબદ્ધ કરેલા વેશને અસાઈત ઠાકર અને તેમના પુત્રોએ સમાજને અર્પણ કર્યા. લોકજીવનને વણી લેતા અને લોકમાનસને સ્પર્શી જતા અસાઈત ઠાકરના આ સંગીતપ્રધાન વેશ “ભવાઈ”ના નામે જાણીતા થયા.</p>
<p>સમય વીતતાં ભવાઈ લોકપ્રિય થતી ગઈ અને ભવાઈએ ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા. ગુજરાતની રંગભૂમિની એ કમનસીબી કે સમાજમાં આવતાં પરિવર્તનને ન પારખી શકતાં ભવાઈ શિક્ષિત કે ‘સુધરેલ’ વર્ગનો ટેકો ગુમાવતી ગઈ અને ક્યારેક તો હલકું મનોરંજન પીરસનાર સામાન્ય સાધન બની રહી ગઈ. ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય  નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે.<span id="_marker"> </span></p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે]]></title>
<link>http://gujarat3.wordpress.com/2008/12/04/gaganvihari-einstein/</link>
<pubDate>Thu, 04 Dec 2008 03:03:27 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2008/12/04/gaganvihari-einstein/</guid>
<description><![CDATA[. આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>આપને મેં ક્યારેક <strong>ભાવનગરના દિવાન શામળદાસ મહેતા</strong> વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ.</p>
<p><strong>સર લલ્લુભાઈ</strong> શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર <strong>ગગનવિહારી મહેતા(1900 -</strong> <strong>1974)</strong>એ <strong>ગુજરાત</strong>ને ગૌરવ બક્ષ્યું છે.</p>
<p>ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો.</p>
<p>ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક <strong>બર્ટ્રાન્ડ રસેલ</strong> પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય તત્વચિંતક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ <strong>ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન</strong> હતા. નિબંધથી પ્રભાવિત થયેલા ડૉ. રાધાકૃષ્ણને તેમને પ્રથમ વર્ગ આપ્યો હતો.</p>
<p><strong>1952માં ગગનવિહારી મહેતા ભારત સરકારના અમેરિકા ખાતેના એલચી નિમાયા.</strong> તેમણે અમેરિકા તથા મેક્સિકોના ભારતીય એલચી તરીકેની જવાબદારીભરી અને સન્માનનીય જવાબદારી નિભાવી.</p>
<p>તે સમયે સુપ્રસિદ્ધ જર્મન <strong>વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન</strong> અમેરિકામાં પ્રિન્સ્ટન (ન્યૂ જર્સી) ખાતે અધ્યાપન અને સંશોધન કાર્યમાં રત હતા. 1953ના એપ્રિલમાં <strong>ગગનવિહારી મહેતા મહામાનવ આઇન્સ્ટાઇન</strong>ને મળવા પ્રિન્સ્ટન ગયા હતા. લગભગ એક કલાકની મુલાકાતમાં અર્ધો કલાક તો <strong>મહાત્મા ગાંધી</strong> અને તેમની વિચારસરણી પર વાતો થઈ.</p>
<p>મહાન અણુવિજ્ઞાની આઇન્સ્ટાઇનને <strong>ગાંધીજી </strong>પ્રત્યે ઊંડો આદરભાવ હતો અને તેમણે ગાંધી વિચારધારાનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. આઇન્સ્ટાઇનને બર્ટ્રાન્ડ રસેલની અસાધારણ બુદ્ધિપ્રતિભા માટે પણ વિશેષ માન હતું. આઇન્સ્ટાઇન સાથેની મુલાકાતમાં ગગનવિહારી મહેતાને મહાન વૈજ્ઞાનિકના મુખેથી મહાત્મા ગાંધી માટે પ્રશંસા અને આદરનાં ફૂલો જ વેરાતાં દેખાયાં. ***</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય]]></title>
<link>http://gujarat1.wordpress.com/2008/12/04/dilipkumarray/</link>
<pubDate>Thu, 04 Dec 2008 02:16:56 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2008/12/04/dilipkumarray/</guid>
<description><![CDATA[. મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 &#8211; 1980) નું નામ પ્રથમ પ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p><strong>મહાયોગી શ્રી અરવિંદ</strong>ના પ્રતિભાવાન શિષ્યોમાં <strong>શ્રી દિલીપકુમાર રાય</strong> (1897 &#8211; 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે.</p>
<p>કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા.</p>
<p>તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દ્વિજેન્દ્રલાલ રાયે વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.  દિલીપકુમારના નાનાજી ડોક્ટર હતા અને તેમણે <strong>શ્રી રામકૃષ્ણ પરમહંસ</strong>ના અંતિમ દિવસોમાં તેમની ચિકિત્સા કરી હતી. બાળપણમાં દિલીપકુમારને ત્યાં મેધાવી વિદ્વાનોની બેઠકો થતી રહેતી અને જ્ઞાનચર્ચા થતી. સ્વાભાવિક છે કે આવા તેજોમય પરિવારનું ફરજંદ પણ પ્રતિભામાન બને.  </p>
<p>બારેક વર્ષની ઉંમરે  તેમને શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી ભક્ત <strong>શ્રી &#8216;મ&#8217;</strong>નાં માર્ગદર્શન અને આશિષ મળ્યાં.  (શ્રી &#8216;મ&#8217; એટલે મહેન્દ્રનાથ ગુપ્ત, કલકત્તા-કોલકતા-ના મોર્ટન ઇન્સ્ટિટ્યુશનના વિદ્વાન હેડમાસ્ટર. તેમની વિસ્તૃત નોંધપોથીઓ પરથી &#8216;શ્રી રામકૃષ્ણ કથામૃત&#8217; પ્રગટ થયું)  બાળક દિલીપકુમાર રાયે <strong>દક્ષિણેશ્વર</strong> જઈ <strong>પૂજ્ય શારદામણિમા</strong>ના પ્રત્યક્ષ દર્શન કરી આશીર્વાદ લીધા.</p>
<p>તેમણે સોળ વર્ષની ઉંમરે ગણિત અને સંસ્કૃતમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. કોલેજમાં દિલીપકુમારને સહાધ્યાયી અને પરમ મિત્ર તરીકે <strong>સુભાષચંદ્ર બોઝ</strong>નો ગાઢ પરિચય થયો. કોલેજકાળમાં તેમને <strong>મહાન સંત રાખાલ મહારાજ</strong>નો સત્સંગ થયો.</p>
<p><strong>દિલીપકુમાર મેથ્સમાં ઑનર્સ સાથે વિજ્ઞાનના સ્નાતક થયા અને 1919માં ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત પહોંચ્યા.</strong> તેમનો હેતુ વિશ્વવિખ્યાત <strong>કેમ્બ્રિજ</strong>માં અભ્યાસ કરવાનો તથા <strong>આઇસીએસ પરીક્ષા</strong> પાસ કરવાનો હતો. પણ કલા અને તત્વચિંતનના રંગે રંગાયેલા દિલીપકુમાર કેમ્બ્રિજનો અભ્યાસ છોડીને યુરોપમાં ત્રણેક વર્ષ ભ્રમણ કરતા રહ્યા.</p>
<p><strong>માત્ર પચ્ચીસ વર્ષની ઉંમર પૂરી કરતાં પહેલાં તો દિલીપકુમાર &#8216;જ્યોં ક્રિસ્તોફ&#8217;ના કર્તા મહાન ફ્રેંચ લેખક રોમાં રોલાં, &#8216;સિદ્ધાર્થ&#8217;ના સિદ્ધહસ્ત સર્જક હેર્માન હેસ અને  વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞ અને વિચારક-ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની સાથે વાર્તાલાપો કરી ચૂક્યા હતા. </strong></p>
<p>દિલીપકુમાર રાય કંઠ્ય અને વાદ્ય સંગીતમાં નિપૂણ હતા. યુરોપમાં  તેમણે સંગીતના ઘણા કાર્યક્રમો પણ આપેલા.</p>
<p><strong>1924માં દિલીપકુમાર રાય પ્રથમ વખત પોંડિચેરી આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદને મળ્યા.</strong> બસ, તેમની જીવનદ્રષ્ટિ બદલાતી ગઈ.</p>
<p>અધ્યાત્મમાર્ગે રંગાયેલા દિલીપકુમાર રાયને મહર્ષિ <strong>મહાયોગી શ્રી અરવિંદ, માતાજી, સ્વામી યોગાનંદ, રમણ મહર્ષિ, મા આનંદમયી, પપા રામદાસ, રાખાલ મહારાજ, અલ્મોડાના સંત યોગી કૃષ્ણપ્રેમ, યશોદામા</strong> આદિ પૂજનીય સંત-વિભૂતિઓનો સત્સંગલાભ મળેલો અને કૃપા-આશિષ મળેલાં.</p>
<p>ઉપરાંત દિલીપકુમાર રાયે <strong>મહાત્મા ગાંધી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, પંડિત મદનમોહન માલવિયાજી</strong> આદિ ભારતીય અને મહાન અણુવિજ્ઞાની <strong>આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ઇંગ્લેન્ડના વિચારક અને ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ, ફ્રેંચ લેખક-ફિલોસોફર રોમાં રોલાં, જર્મન લેખક હેરમાન હેસ, અન્વેષક-સાધક પોલ રિશાર અને ફ્રેડરિક સ્પિલબર્ગ</strong> જેવા વિશ્વવિખ્યાત મહાનુભાવોના સાન્નિધ્યને માણ્યું છે.</p>
<p>દિલીપકુમાર રાય બંગાળી-હિંદી ઉપરાંત <strong>અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન</strong> આદિ ભાષાઓ જાણતા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. દિલીપકુમાર રાયનો અંગ્રેજી ગ્રંથ <strong>&#8216;Pilgrims of the Stars&#8217;</strong> અમેરિકા અને યુરોપમાં ભારે પ્રસિદ્ધિ પામ્યો છે. તે પુસ્તકનો અનુવાદ જર્મન, પોર્ટુગિઝ, ફ્રેંચ અને સ્પેનિશ ભાષાઓમાં થયેલો છે. આ પુસ્તક <strong>&#8216;અનંતના યાત્રીઓ</strong>&#8216; નામથી ગુજરાતીમાં અનુવાદિત થયેલ છે. <strong>દિલીપકુમાર રાયનો એક અદભુત બંગાળી ગ્રંથ &#8216;અઘટન આજો ઘટે&#8217; ગુજરાતીમાં &#8216;ચમત્કારો આજે પણ બને છે&#8217; નામે પ્રગટ થયેલો છે.</strong> *</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 50]]></title>
<link>http://gujarat2.wordpress.com/2008/12/01/anamika50/</link>
<pubDate>Sun, 30 Nov 2008 23:52:22 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2008/12/01/anamika50/</guid>
<description><![CDATA[. પ્રિય અનામિકા, મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે મારો આ પચાસમો સુવર્ણજયંતિ પત્ર આવા વિષય પર લખવો પડશે!!]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે મારો આ <strong>પચાસમો સુવર્ણજયંતિ પત્ર</strong> આવા વિષય પર લખવો પડશે!!!</p>
<p>મુંબઈ શહેર પર ત્રાસવાદી હુમલાએ સમગ્ર ભારત દેશમાં આતંકના ઓછાયા પાથર્યા. ભારત દેશના જ નહીં, માનવજાતના ઇતિહાસમાં એક કાળું, કલંકિત પ્રકરણ ઉમેરાયું. અનામિકા! માનવતાને લજાવતાં આવાં ઘૃણાસ્પદ અમાનવીય કૃત્યોને વખોડવા માટે શબ્દો ઓછા જ પડે!</p>
<p>વિવિધ ભારતીય સુરક્ષા દળોએ તદ્દન વિપરીત સંયોગોમાં જાન પર ખેલીને આતંકવાદને જે જવાબ આપ્યો તે શબ્દાતીત છે. આપણે સૌ ભારતવાસીઓએ જાંબાઝોની મર્દાનગી અને કર્તવ્યનિષ્ઠા પર ગર્વ લેવો જોઈએ.</p>
<p>આ ત્રાસવાદી ઘટનાની દૂરોગામી અસરો તો વખત વીતતાં જણાશે. અનામિકા! આવી ઘટનાઓને વિશ્વની સભ્યતા પર બર્બરતાપૂર્ણ આક્રમણ ન લેખી શકાય?   જે સંસ્કૃતિને આજના સ્તરે પહોંચાડવામાં કરોડો માનવીઓનાં સમર્પણે સદીઓનો સમય લીધો, તે સંસ્કૃતિ આવતી કાલે મુઠીભર લોકોના હાથે બે-પાંચ પળોમાં ક્ષત-વિક્ષત થઈ જાશે?</p>
<p>હદ થઈ ગઈ છે હવે! જગતભરમાં વકરતા આતંકવાદ સામે માનવજાતે લડી લેવાનો સમય આવી ચૂક્યો છે.</p>
<p>અહીં દેશમાં આઘાતથી મૂઢ થયેલ લોકહૈયે ધૂંધવાઈ રહેલો આક્રોશ હવે બહાર આવતો જણાય છે. જે રાષ્ટ્રનું હાર્દ મહાન હોય, પરંતુ શાસન વામણું હોય તે અધોગતિ જ નોતરે! નિર્માલ્ય અને દિશાહીન નેતૃત્વ પર પ્રજાનો રોષ ભભૂકવા લાગ્યો છે. નર્યા અંગત સ્વાર્થના પાયે ખડું ભ્રષ્ટાચારી રાજકારણ રાષ્ટ્રની શી ભૂંડી ગતિ કરે તે આજે સૌ જાણી ગયાં છે. રાજનેતાઓ પ્રજાવર્ગની ધધકતી લાગણીઓ વેળાસર સમજી શકશે?</p>
<p>આપણે પ્રાર્થીએ, અનામિકા, કે વિપત્તિનાં વાદળો ઘેરાતાં જાય છે ત્યારે રાષ્ટ્ર એક બનીને ખડું થાય, એકરાગે પડકારો ઝીલી લે અને અને દેશને ઉગારવાના સંન્નિષ્ઠ પ્રયાસોમાં સૌ અબ ઘડી જોતરાઈ જાય તમારા મિત્રોમાં આ વિશે ચર્ચા છેડજો.</p>
<p>સસ્નેહ આશીર્વાદ.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 49]]></title>
<link>http://gujarat2.wordpress.com/2008/11/24/anamika49/</link>
<pubDate>Mon, 24 Nov 2008 13:22:55 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2008/11/24/anamika49/</guid>
<description><![CDATA[પ્રિય અનામિકા,  ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું? ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>પ્રિય અનામિકા, </p>
<p>ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?</p>
<p>ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!</p>
<p>અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને &#8216;ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ&#8217;ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.</p>
<p>રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.</p>
<p>1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો &#8211; નાબાલિગ &#8211; હોવાથી તેના મામાએ તેના &#8216;પ્રોટેક્ટર ઓફ કિંગ&#8217; તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.</p>
<p>1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.</p>
<p>પાંચેક વર્ષના શાસનકાળ (1553 &#8211; 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.</p>
<p>આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.</p>
<p>એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 &#8211; 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!</p>
<p>તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.</p>
<p>.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[વિઠ્ઠલદાસ ઠાકરસી - મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર]]></title>
<link>http://gujarat3.wordpress.com/2008/11/24/viththaldasthakersey/</link>
<pubDate>Mon, 24 Nov 2008 13:01:38 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat3.wordpress.com/2008/11/24/viththaldasthakersey/</guid>
<description><![CDATA[  વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગ]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p> </p>
<p>વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત.</p>
<p><strong>મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી)</strong>.</p>
<p>માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક &#8211; ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.</p>
<p>1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા.</p>
<p><strong>મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું માન આપણા આ ગરવા ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસીને મળ્યું</strong>.</p>
<p><span style="font-size:12pt;font-family:Shruti;" lang="GU">તે </span>સમયે મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ દોડતી. મુંબઈના નવયુવાન ગુજરાતી મેયર વિઠ્ઠલદાસ ઠાકરસીએ મુંબઈ <strong>શહેરમાં ઈલેક્ટ્રિક ટ્રામ</strong> શરૂ કરી. *  **    *   *  *</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનામિકાને પત્ર: 48]]></title>
<link>http://gujarat2.wordpress.com/2008/11/24/anamika48/</link>
<pubDate>Mon, 24 Nov 2008 12:45:13 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat2.wordpress.com/2008/11/24/anamika48/</guid>
<description><![CDATA[. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ &#8216;એલિઝાબેથ&#8217; પર મુદ્દા ઊઠ્યા તે સ્]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p style="text-align:left;">.</p>
<p>પ્રિય અનામિકા,</p>
<p>તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ &#8216;એલિઝાબેથ&#8217; પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે.  કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.</p>
<p>બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.</p>
<p>આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. &#8216;મેગ્ના કાર્ટા&#8217; અને &#8216;હેબિયસ કોર્પસ એક્ટ&#8217;ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા &#8216;The King&#8217;s Story&#8217;  વાંચી.</p>
<p>પછી  ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી  વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો.  હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.</p>
<p>આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.</p>
<p>મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા  ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.</p>
<p>અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.</p>
<p>1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!</p>
<p>ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?</p>
<p>શેષ વાતો આવતા પત્રમાં&#8230;. સસ્નેહ આશીર્વાદ.</p>
<p>.</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[રોઝેટા સ્ટોન અને નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ]]></title>
<link>http://gujarat1.wordpress.com/2008/11/24/rosettastone/</link>
<pubDate>Mon, 24 Nov 2008 12:34:53 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat1.wordpress.com/2008/11/24/rosettastone/</guid>
<description><![CDATA[. એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે? હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન (Roset]]></description>
<content:encoded><![CDATA[<div class='snap_preview'><p>.</p>
<p>એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?</p>
<p>હા, તેનું નામ છે <strong>રોઝેટા સ્ટોન</strong> (Rosetta Stone).</p>
<p><strong>ઇજિપ્ત</strong>ની <strong>નાઇલ</strong> નદીના કિનારે હજારો વર્ષ પહેલાં <strong>મિસર (ઇજિપ્ત)</strong>ની સભ્યતા વિકસી હતી.</p>
<p><strong>દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની મિસરની સભ્યતા.</strong></p>
<p>નાઇલ સંસ્કૃતિના મિસર (ઇજિપ્ત)નો પ્રાચીન ઇતિહાસ <strong>ચિત્રલિપિઓ</strong>માં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.</p>
<p><strong>ઇસ 1799</strong>માં ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્ર કિનારા પરથી એક પથ્થર હાથ લાગ્યો. ભૂખરા-કાળા રંગના આ પથ્થરની ઊંચાઈ સાડા ત્રણ-પોણા ચાર ફૂટ, પહોળાઈ અઢી ફૂટ, જાડાઈ માંડ એકાદ ફૂટ! સાડા સાતસો કિલો વજનના આ પથ્થર પર ત્રણ ભાષા-લિપિઓમાં લખાણ મળ્યું &#8211; ક્લાસિકલ ગ્રીક લિપિ, પ્રાચીન ઇજિપ્શિયન ડેમોટિક લિપિ અને ભારે અટપટી અને વણઉકલી મિસરની ચિત્રલિપિ.</p>
<p><strong>આ પથ્થર રોઝેટા સ્ટોન તરીકે ખૂબ જાણીતો થયો.</strong></p>
<p>તેની <strong>ચિત્રલિપિ</strong>ને ઉકેલવા પુરાતત્વવેત્તા-ભાષાશાસ્ત્રીઓએ મોટા પાયે પ્રયત્નો શરૂ કર્યા. 1822માં એક બ્રિટીશ વૈજ્ઞાનિક તથા બીજા એક ફ્રેંચ વિદ્વાને રોઝેટા સ્ટોનની ચિત્રલિપિને ઉકેલી. આમ થતાં મિસર સંસ્કૃતિની ચિત્રલિપિઓનો ભેદ ખુલ્લો થયો.</p>
<p>પછી તો <strong>નાઇલ કિનારાની પ્રાચીન મિસર સભ્યતાનાં ઇતિહાસ</strong>નાં કેટલાંયે રહસ્યો ખુલ્લાં થયાં. * **</p>
<p>**  *</p>
</div>]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/081122/ફિલ્મ-સિનેમા]]></title>
<link>http://gujarat5.wordpress.com/2008/11/22/filmcinema-29/</link>
<pubDate>Sat, 22 Nov 2008 00:50:55 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/2008/11/22/filmcinema-29/</guid>
<description><![CDATA[. ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 39) .   મારે આપને &#8216;શારદા ફ]]></description>
<content:encoded><![CDATA[. ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 39) .   મારે આપને &#8216;શારદા ફ]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/081122/પ્રથમપૃષ્ઠ]]></title>
<link>http://gujarat5.wordpress.com/2008/11/22/firstpage-31/</link>
<pubDate>Sat, 22 Nov 2008 00:30:15 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/2008/11/22/firstpage-31/</guid>
<description><![CDATA[અનન્યા/081122/પ્રથમપૃષ્ઠ   &#8220;અનન્યા&#8221;ના આજના અંકમાં &#8216;ફિલ્મ-સિનેમા&#8217;નું પૃષ્ઠ પ્]]></description>
<content:encoded><![CDATA[અનન્યા/081122/પ્રથમપૃષ્ઠ   &#8220;અનન્યા&#8221;ના આજના અંકમાં &#8216;ફિલ્મ-સિનેમા&#8217;નું પૃષ્ઠ પ્]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[અનન્યા/081025/ફિલ્મ-સિનેમા]]></title>
<link>http://gujarat5.wordpress.com/2008/10/25/filmcinema-28/</link>
<pubDate>Sat, 25 Oct 2008 00:45:25 +0000</pubDate>
<dc:creator>હરીશ દવે</dc:creator>
<guid>http://gujarat5.wordpress.com/2008/10/25/filmcinema-28/</guid>
<description><![CDATA[. ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38) .   &#8216;સ્ટાર ફિલ્મ કંપની]]></description>
<content:encoded><![CDATA[. ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38) .   &#8216;સ્ટાર ફિલ્મ કંપની]]></content:encoded>
</item>

</channel>
</rss>
